SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ જેનદષ્ટિએ મહા ભૂગોળ-કાળનું સ્વરૂપ વર્ષ એટલે કુવામાં જે ૩૭ અંક જેટલા વાળના ટુકડા છે તેના ઉપર બે મીંડા ચઢાવવાથી ૩૯ અંક જેટલા વર્ષે એક કો ખાલી થાય. એ પણ સંખ્યાતા કોડ વર્ષ જેટલો કાળ થાય. આ પપમ સૂક્ષ્મ અઠ્ઠા પલ્યોપમ સમજવા પૂરતું છે. બાકી આનાથી કોઈ વરંતુ આદિનું માપ થઈ શકતું નથી. ૪. સૂક્ષ્મ અદ્દા પલ્યોપમ–સૂક્ષ્મ ઉદ્ધાર ૫ પમ માટે બાદર રમખંડના જેવા એક એક રમખંડના અસંખ્યાત રમખંડ કર્યા હતા તેવા અહીં પણ સમજવા. તે રમખંડોને સો સો વર્ષે એક એક રોમખંડ કાઢતાં કેવો ખાલી થાય તેટલા કાળને સૂક્ષ્મ અદ્દા પલ્યોપમ કહેવાય. આમાં અસંખ્યાત વર્ષો લાગે. આ પાપમથી જ અવસર્પિણી–ઉત્સર્પિણી કાળ, ચારે ગતિના જીવોનું આયુષ્ય, કર્મની સ્થિતિઓ છની કાયસ્થિતિ વગેરે અપાય છે. અા એટલે કાળ. પ. બાદર ક્ષેત્ર પલ્યોપમ––બાદર ઉદ્ધાર પલ્યોપમ વખતે જે બાદર રોમખંડ ભર્યા છે, તે દરેક રમખંડમાં અસંખ્ય અસંખ્ય આકાશ પ્રદેશો અંદર અને બહારથી પણ પશીને રહ્યા છે અને અપેશીને પણ રહ્યા છે. તેમાં પશીને રહેલા આકાશ પ્રદેશોથી નહિ પશેલા આકાશ પ્રદેશો ઘણું છે, જ્યારે સ્પશેલા થોડા છે. તે સ્પર્શેલા આકાશ પ્રદેશોમાંથી એક એક આકાશ પ્રદેશને એક એક સમયે બહાર કાઢતાં સર્વ પશેલા આકાશ પ્રદેશો જેટલા કાળે ખાલી થાય તેટલા કાળનું નામ બાદર ક્ષેત્ર પલ્યોપમ કહેવાય. આમાં અસંખ્યાત કાળચકે પૃષ્ટ આકાશ પ્રદેશ બહાર ઉદ્ધરાઈ રહે છે. જેથી આ પલ્યોપમ અસંખ્ય કાળચક પ્રમાણન છે. આનું પ્રયોજન પણ સૂક્ષ્મક્ષેત્ર પપમ સમજવા માટે છે. ૬ સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમ–સૂમ ઉદ્ધાર પામ માટે જેવા સૂક્ષ્મ રમખંડ ભરેલા છે, તે જ સૂક્ષ્મમખંડવાળા કુવામાં દરેક સૂક્ષ્મ રમખંડમાં (અંદરના ભાગમાં) સ્પર્શેલા અને નહિ સ્પર્શેલા આકાશ પ્રદેશો બાદર ક્ષેત્ર પલ્યોપમ પ્રસંગે કહ્યા, તે ઉપરાંત એક રમખંડથી બીજા રમખંડની વચ્ચે પણ અપૃષ્ટ આકાશ પ્રદેશો દરેકના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005481
Book TitleBruhat Kshetra Samas Part 01
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherTarachand Ambalal Sha
Publication Year1978
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy