SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ બૃહત્ ક્ષેત્ર સમાસ તે ઉપરથી વિયંત દ્વાર, પશ્ચિમ દ્વારના અધિપતિ દેવ જયંત, તે ઉપરથી જયંત દ્વાર, અને ઉત્તર દ્વારના અધિપતિ દેવ અપરાજિત, તે ઉપરથી અપરાજિત નામના દ્વારે ઓળખાય છે. ૧૮ હવે દ્વારના અધિષ્ઠાયક દેવનું સ્વરૂપ જણાવે છે : पलिआवमठिईया, सुरगणपरिवारिया सदेवीया। एएसु दारनामा, वसंति देवा महाढिया॥१९॥ છાયા–રૂપસ્થિતિ સુજાનપરિવારિતા વી1 જુ દારનામાનો વનિત સેવા: મદ્ધિા છે ?? અર્થ–ચારે દ્વારના નામવાળા, એક પલ્યોપમના આયુષ્યવાળા, મહર્દિક દે, દેવના સમુહથી પરિવરેલા દેવીઓ સાથે રહે છે. વિવેચન—વિજય, વૈજયંત, જયંત અને અપરાજિત નામના ચાર દ્વાર છે. તે દ્વારના નામવાળા વિજય, વૈજયંત, જયંત અને અપરાજિત નામના દ્વારના અધિપતિ વ્યંતર દે છે. તે દેનું આયુષ્ય એક પલ્યોપમ–અસંખ્ય વર્ષનું હોય છે અને તે દે પોતાના દેવ-દેવી પરિવાર સાથે રહે છે. તે દરેક દેવ, ૪૦૦૦ સામાનિક દેવ, ૧૬૦૦૦ આત્મરક્ષક દે, સાત સિન્યના અધિપતિ, ચાર અમહિષી વગેરે પિતાના પરિવાર સાથે પોતપોતાના નામવાળી વિજય, વૈજયંત, જયંત, અપરાજિત નામની પોતપોતાની રાજધાનીમાં ઘણા વાનવ્યંતર દેવ-દેવીઓના સ્વામિપણાને કરતાં રહે છે. ચારે અમહિષી દેવીઓને પણ પિતપોતાને પરિવાર હોય છે, તે બધાનું અધિપતિપણું કરતાં તે અધિપતિ દે રહે છે. પૂર્વ દિશાદિ દ્વારના નામ વિજયાદિ શા માટે કહેવાય છે? તે માટે શ્રી જીવાભિગમ સૂત્રમાં કહ્યું છે કે “હે ભગવન ? પૂર્વ દિશાના દ્વારને શા માટે વિજ્ય નામ કહેવાય છે? ભગવાન જવાબ આપે છે કે “હે ગૌતમ! વિજયદ્વારને અધિપતિ વિજય નામનો દેવ મહાદ્ધિમાન (ઘણું ભવને વગેરે પરિવાર હોવાથી) મહાતિમાન (શરીરની મહાન કાંતિ હેવાથી) મહાબળવાન, મહાન યશવાળા, મહાન ઐશ્ચર્યવાળા, મહાસુખવાળા, એક પલ્યોપમના આયુષ્યવાળા સામાનિક દે, ૧૬૦૦૦ આત્મરક્ષક દે, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005481
Book TitleBruhat Kshetra Samas Part 01
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherTarachand Ambalal Sha
Publication Year1978
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy