________________
S૯
જતા હતા. ત્યાં બધાં તૃષાતુર થવાથી ચિલ્લણમુનિએ પોતાની આરાધનાના પ્રભાવે સ્તુતિ કરી અને ત્યાં પાણી નીકળ્યું. ત્યાં તેમના નામ ઉપરથી તળાવનું નામ ચિલ્લણ તળાવડી થયું. અપભ્રંશ થઈને ચંદનતળાવડી નામ રહ્યું. બાજુમાં મોટી શીલા છે.
| (૫) ચંદન તળાવડી પાસે સિદ્ધશિલા છે. અહીં અનંતા આત્માઓ સિદ્ધ થયા છે. અહીં લોકો સંથારા મુદ્રાએ ૧૦૮, ૨૭, ૨૧ અથવા ૧૨ લોગસ્સનો કાઉસ્સગ્ન કરે છે. જેથી પૂર્વે થયેલ મુનિઓની સ્મૃતિ થાય. અમે બધાએ સિદ્ધશીલા ઉપર સંથારા મુદ્રાએ ૧૨ લોગસ્સનો કાઉસ્સગ્ન કર્યો હતો. અમે બે હાથ જોડી સિદ્ધાત્માઓને વંદન કર્યા. અમે અહીંની યાદગીરી માટે ડોળીવાળા સાથે ફોટા પડાવ્યા હતા.
અહીંથી લાંબુ ચઢાણ આવે છે. અહીં (ચંદન તળાવડી) આવો એટલે અડધે આવ્યા એમ ગણાય. પછી પગથીયાં આવે છે. હીંમત ભેગી કરી આદિનાથ દાદાની જય બોલાવી હાથમાં લાકડીના ટેકે હું ડુંગર ચઢી ગઈ. આ હું નથી ચઢી રહી તેવો હરપળે અહેસાસ થવા લાગ્યો. આટલા ઊંચા ચઢાવમાં સહાયક તરીકે કોઈ દૈવીતત્ત્વ જ આમાં કામ કરતું હતું.
(૬) ભાંડવાનો ડુંગર : આખો ડુંગર હું ચઢી ગઈ. ભાંડવાનો ડુંગર ચઢીએ એટલે ત્યાં એક મોટો ઓપન રંગમંડપ આવે છે અને ત્યાં એક દેરીમાં દાદા આદિનાથનાં પગલાં છે તેમજ શાંબ અને પ્રદ્યુમ્નના પગલાં છે. શાંબ અને પ્રદ્યુમ્ન બન્ને શ્રીકૃષ્ણના પુત્રો થાય. ફાગણ સુદ-૧૩ના દિવસે સાડા આઠ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org