________________
૬૬
પ્રભુ તેં મને જે આપ્યું છે તેનો બદલો હું શું વાળું? બસ તારી ભક્તિ કરી કરીને મારા અંતરને ઠારું.
હવે પરોઢીએ ચંદ્રનું અજવાળું રહેતું હોવાથી ચઢવામાં અનુકૂળતા રહે છે. આજે દાદા - ઘેટી પાગ - નવટૂંક કરી પાછા દાદાના દરબારમાં આવી ગયાં. આજે કોઇ સંઘ આવેલો હતો. જેથી રંગમંડપ ભરચક હતો. રંગમંડપમાં સ્નાત્રપૂજા - નવ્વાણું પ્રકારની પૂજા વિગેરે પૂજાઓ ચાલતી જ હોય છે.
કોઇવાર રાયણપગલે, કોઇવાર પુંડરીકસ્વામીએ તો કોઇવાર શાંતિનાથના દેરાસરમાં પણ સ્નાત્રપૂજા ચાલતી હોય છે. આમ દરબારમાં, રંગમંડપમાં વાતાવરણ જલસા જેવું લાગે છે. ખૂબ ખૂબ આનંદથી જાત્રા થાય છે.
આજે સાંજે પ્રતિક્રમણમાં તરુણાબેન નામનાં એક બેન હતાં તેઓ શત્રુંજયનું સ્તવન અને સજ્ઝાય બહુ જ સારી બોલેલાં. તે સાંભળતાં સાંભળતાં જાણે આખું દૃશ્ય નજર સામે આવતું હતું. આમ અમારા દિવસો આરાધનામાં પસાર થાય છે.
યાત્રા દિવસ - ૩૩
આજે જય તળેટીએ ઘણું માણસ હતું. ધાનેરાવાળી ધર્મશાળામાં ૩૦૦ જણાં છઠ્ઠ કરી સાત જાત્રા કરવા આવ્યા હતા. ગિરિરાજ પર ચઢતાં આજે તપસ્વીઓનું ટોળું હતું. ઉપર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org