________________
૪૦
મળીશું. જેથી તૈયાર થઇ તળેટીએ આવી પહોંચ્યા. ચૈત્યવંદન વિધિ પૂર્ણ કરી અમે ચઢવાનું શરુ કર્યું.
દાદાના દર્શન કરી પછી ઘેટી પાગે થઇ પાછા દાદાના દરબારમાં પ્રક્ષાલ માટે આવ્યા. અમે સવારે દાદાનું ચૈત્યવંદન તથા બધી વિધિ દાદાના દરબારમાં જ કરતાં હોઇએ છીએ અને પછી અમે નવી બેટરીની જેમ ચાર્જ થઇ જઇએ છીએ.
બધે જ લા થી ૧૦મા સુધીમાં પ્રક્ષાલ થતો હોય છે. જ્યારે ઉપર યાત્રિકો વધુ હોય ત્યારે દાદાનો પ્રક્ષાલ લાંબા સમય સુધી ચાલે છે. અમે દાદાનો પ્રક્ષાલ કર્યા પછી દોટ મૂકીએ છીએ. જેથી રાયણપગલે, નવા આદેશ્વર-નેમિનાથ-પુંડરીકસ્વામી-સીમંધર સ્વામી અને શાંતિનાથના દેરાસરે એમ બધે જ પ્રક્ષાલનો લાભ લેતા. કયારેક સહસ્ત્રફણા પાર્શ્વનાથ દેરાસરના પ્રક્ષાલનો પણ લાભ મળતો.
આજે રંગમંડપમાં રાજુભાઇ અલબેલાની મંડળીએ તાલીઓના નાદ સાથે આદેશ્વર અલબેલો છે તેની ધૂન મચાવી હતી. અલબેલા રાજુભાઇને જોવા એ પણ એક લ્હાવો છે. તેઓ અમને ઘેટીની પાગે ચઢતાં દરરોજ મળે છે. ખરી મસ્તી હોય છે તેમની, આદીશ્વર અલબેલો છે એ ધૂન વાતાવરણમાં ગૂંજી ઊઠે છે. દરેક પૂજારી, દરેક ડોળીવાળા બધા જ આ અલબેલા ભાઇથી પરિચિત છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org