________________
૨
દેવનગરીમાં હજારો લાખો યાત્રિકોને પ્રવેશ આપતું મુખ્ય દ્વાર ગેટ વે ઓફ શત્રુંજય તરીકે રામપોળ છે.
દાદાની જય બોલાવી મંદિરોના નગરમાં રામપોળમાં પ્રવેશ કર્યો. સામે જ રહેલા સૌ પ્રથમ પંચશિખરી દેરાસરના બાજુમાં ત્રણ શિખરીના બહારથી દર્શન કર્યાં. “નમો જિણાણું” કહી આગળ વધ્યા.
પછી મોતીશા શેઠની ટૂંકના બહારથી દર્શન કર્યા. “ટૂંક એટલે દેરાસરનો સમૂહ. શેઠ મોતીશાએ આ ટૂંક બનાવી છે. આ ટૂંક નલીની ગુલ્મવિમાન તરીકે પ્રસિદ્ધ છે. આ ટૂંકની સામે મોટો વડલો છે. ડોળીવાળાઓ અહીં વિસામો કરે છે. ધન્ય છે આ ડોળીવાળાઓને કે જેઓ ગિરિરાજ ચઢી ન શકે તેવા અનેક યાત્રિકોને જાત્રા કરાવે છે.
થોડાં પગથીયાં ચઢયા પછી સગાળ પોળ આવે છે. સગાળ પોળની બહાર તેડાગર બાઈઓ બેસે છે. સગાળ પોળ અને મોતીશા શેઠની ટૂંકની વચ્ચે જે રસ્તો જાય છે તે ઘટીની પાળે જાય છે.
સગાળ પોળની અંદર પ્રવેશ કરો એટલે જમણી બાજુ બુટ-ચંપલ-લાકડી રાખવાની વ્યવસ્થા છે. અહીં સામે પેઢીની ઓફિસ આવેલી છે. ડાબી બાજુ ઉકાળેલા પાણીની વ્યવસ્થા છે.
થોડા પગથીયાં ચઢી અમે વાઘણપોળમાં પ્રવેશ કર્યો. દરવાજાની એક બાજુ રક્ષકનું બાવલું છે. અને બીજી બાજુ વાઘણનું બાવલું છે. બાજુમાં ભૈરવની મૂર્તિ છે.
• ૩૨૧ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org