________________
૧૬
આવા ભાવનું અવતરણ કર્યું તે યાત્રિકોને પણ પ્રેરણાદાયી છે. પ્રવિણાબેન યથાશક્તિ ચઢતા-ડોળી કરતા, ચંદ્રકાંતભાઈ તો પગપાળા અથાકપણે નવ્વાણું કરતા, છતાં શું બન્યું ? “આજે દાદા મારા પર વરસી ગયા હતા. મારા પગમાં કોણ જાણે દાદાએ ગજબની શક્તિ મૂકી. તેથી છ ગાઉની સંપૂર્ણ યાત્રા પગપાળા કરી, તેના આનંદનું શું વર્ણન કરું ?”
આવા તેમના અનુભવનો આનંદ તેમણે માણ્યો...આપણી પાસે સહજભાવે રજુ કર્યો, તે સૌને ઉપયોગી થશે.
આ યાત્રા સાથે એ પવિત્ર સ્થળમાં આચાર્ય ભગવંતનો બોધ, સાધુજનોની વૈયાવચ્ચ, તપ, વ્રત વિગેરેનો લાભ થયો.
ખરેખર આ લખું છું ત્યારે તેમના મનોભાવને જાણી મને થઈ ગયું કે, મને પણ આવા યોગ તો હતા. પણ ક્યારેય આવા અનુષ્ઠાનના ભાવ ન થયા. આ દંપતિ પુણ્યશાળી છે. નવ્વાણુંમાં કેવો આનંદ અનુભવ્યો. વળી ૨૦૦૬-૭માં નાનું જયતળેટીશ્રીબાબુના દહરાસરનું નવ્વાણું કર્યું. પ્રવિણાને કહ્યું કે તું લખે અને ચંદ્રકાંતભાઈ બોલે..... મળ સારો છે.
તેમના આંતરિક સંવેદનને વધાવીએ. તેઓ આત્મશ્રેયાર્થે વધુ આરાધના કરે તેવી પ્રભુ પ્રત્યે પ્રાર્થના...
૫, મહાવીર સોસાયટી, પાલડી,
અમદાવાદ-૩૮૦ ૦૦૭.
સુનંદાબહેન વોહરા શુભેચ્છા સાથે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org