________________
૧૦૯ રાગદ્વેષની ગ્રંથી ભેદે, પૂજે આદીજિન પાય,
મેરે તો પ્રભુજી ..... ૩ પ્રથમ પ્રભુના ધ્યાન પ્રભાવે, યાત્રા સુખભર થાય,
મેરે તો પ્રભુજી ..... ૪ ધર્મરત્ન ગિરિ ગુણ ગાતા, ભવની ભાવઠ જાય,
મેરે તો પ્રભુજી ..... ૫
---------
સ્તુતિ આગે પૂરવ વાર નવાણું, આદિ જિનેશ્વર આયાજી, શત્રુંજય લાભ અનંતો જાણી, વંદુ તેહના પાયાજી, જગબંધવ જગતારણ એ ગિરિ, દીઠા દુર્ગતિ વારેજી, યાત્રા કરતાં છ'રી પાવે, કાજ પોતાના સારેજી.
નવ ખમાસમણના નવ દુહા સિદ્ધાચલ સમરું સદા, સોરઠ દેશ મોઝાર, મનુષ્ય જન્મ પામી કરી, વંદુ વાર હજાર........(૧) સોરઠ દેશમાં સંચર્યો, ન ચડ્યો ગઢ ગિરનાર, શેત્રુંજી નદી નાહ્યો નહીં, એનો એળે ગયો અવતાર ...(૨) શેત્રુંજી નદીમાં નાહીને, મુખ બાંધી મુખ કોશ, દેવ યુગાદિ પૂજીએ, આણી મને સંતોષ......(૩)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org