________________
૧૦૩ ઉર્વશી રુડી અપછરાને, રામા છે મન રંગ, પાયે નેપુર રણઝણે કાંઈ, કરતી નાટારંભ ..... ૪ તું હી બ્રહ્મા તું હી વિધાતા, તું હી જગતારણહાર, તુ જ સરીખો નહિ દેવ જગતમાં, અરવડીઆ આધાર તું હી ભ્રાતા તું હી ત્રાતા, તું હી જગતનો દેવ, સુર-નર કિન્નર વાસુદેવા, કરતા તુજ પદ સેવ ..... ૬ શ્રી સિદ્ધાચલ તીરથ કેરો, રાજા ઋષભ નિણંદ, કીર્તિ કરે માણેકમુનિ તાહરી, ટાળો ભવભય ફંદ ... ૭
શ્રી સિદ્ધાચલમંડણ, ઋષભજિણંદ દયાળ, મરુદેવાનંદન, વંદન કરું ત્રણ કાલ, એ તીરથ જાણી, પૂર્વ નવાણું વાર આદીશ્વર આવ્યા, જાણી, લાભ અપાર.
ચોથુ ચૈત્યવંદન
રાયણ પગલાંનું ચૈત્યવંદન એહ ગિરિ ઉપર આદિ દેવ, પ્રભુ પ્રતિમા વંદો, રાયણ હેઠે પાદુકા, પૂજીને આણંદો..૧ એહ ગિરિનો મહિમા અનંત, કુણ કરે વખાણ, ચૈત્રી પૂનમને દિને, તેહ અધિકો જાણ....૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org