________________
૧૦૧ અધ્યાતમ રવિઊગ્યો મુજ ઘટ, મોહતિમિર હર્યું જુગતે, વિમલવિજય વાચકનો સેવક, રામ કહે શુભ ભગતે
મારો ..... ૫ - સ્તુતિ શાંતિ સુહંકર સાહિબો, સંયમ અવધારે સુમિત્રાને ઘેર પારણું, ભવ પાર ઉતારે વિચરતા અવની તળે, તપ ઉગ્ર વિહાર જ્ઞાનધ્યાન એક તાનથી, તિર્યંચને તારે.
ત્રીજુ ચૈત્યવંદન દાદાના દરબારમાં મૂળનાયક
શ્રી આદીનાથ ભગવાનનું ચૈત્યવંદન આદિદેવ અલવેસરુ, વિનીતાનો રાય, નાભિરાયા કુલ મંડણો, મરુદેવા માય, પાંચશે ધનુષની દેહડી, પ્રભુજી પરમ દયાલ, ચોરાસી લાખ પૂર્વનું, જસ આયુ વિશાલ, વૃષભ લંછન જિન વૃષધરુએ, ઉત્તમ ગુણ મણિ ખાણ, તસ પદપા સેવન થકી, લહીએ અવિચલ ઠાણ.
સ્તવન-૧ સિદ્ધાચલના વાસી, વિમલાચલના વાસી, જિનાજી પ્યારા આદિનાથને વંદન હમારા, પ્રભુજીનું મુખડું મલકે, નયનોમાંથી વરસે, અમી રસધારા, આદીનાથને વંદન હમારા ..... ૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org