SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ આચાર્ય શ્રી સ્થૂલિભદ્ર રાજા નંદનું રાજ ચાલે. એ વખતે ધરતી પર એવું બીજું રાજ નહિ. દેશના દેશ જીતીને સોનું, રૂપું, હીરા, માણેક, જર, ઝવેરાત એકઠાં કરેલાં. સાત તો સોનાની ડુંગરીઓ બાંધેલી. કરોડ, અબજ, ખર્વ, નિખર્વ, પદ્મ, મહાપદ્મ ! સંખ્યાનો શબ્દ જ ન મળે, એટલું દ્રવ્ય એકઠું કરેલું. લોકો એને મહાપદ્મ નંદ કહેતા. આમ સંપત્તિનો પાર નહિ. શૂરવીરતાનો પાર નહિ. સરવાળે અભિમાનનો પણ પાર નહિ. નંદરાજા ક્ષત્રિય રાજાઓનો કાળ ગણાતો. રાજા નંદને શકટાલ નામના મહામંત્રી હતા. એ વખતે શક લોકોનાં પરદેશી ધાડાંઓ આપણા દેશમાં લૂંટવા આવતાં. મંત્રી શકટાલે તેઓની સાથે લડાઈ કરી તેમને હાંકી કાઢેલા. મંત્રી શકટાલ પૂરા સ્વામીભક્ત ને પૂરા વિશ્વાસુ હતા. એમના કુટુંબમાં પેઢીઓથી રાજસેવા ઊતરતી આવતી હતી. જીવન Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005465
Book TitleMuni Harikesh Acharya Sthulibhadra
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy