SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ મયરેખા ت ن .ن.ت.ت.ث. ' મયણરેખાએ જોયું કે સમજાવીને કામ લેવામાં સાર છે. એણે કહ્યું, “મારા બે પુત્રની ભાળ લઈ આવો, પછી બીજી વાત.' વિદ્યાધર રાજા તો ઊપડ્યો વિમાનમાં. થોડી વારમાં તો ભાળ લઈને આવ્યો. એણે કહ્યું “હે સુંદરી, તારો જેઠ-રાજા મણિરથ સર્પદંશથી ભૂંડે હાલે મર્યો છે. અને તારો મોટો પુત્ર તો સુદર્શનપુરનો રાજા બન્યો છે. તારા જેઠને કોઈ સંતાન ન હોવાથી પ્રજાએ તેને ગાદી પર બેસાડ્યો છે.' ને તારા બીજા ધાવણા બાળને મિથિલાનો રાજા ઉપાડી ગયો છે. એનું નામ પદ્મરથ. એને કંઈ સંતાન નથી, એટલે તારા બાળને દીકરો કરીને માન્યો છે. નામ રાખ્યું છે નમિરાજ.” મયણરેખા કહે, “ધન્ય છે રાજા તને. હવે એક કામ મારું કરી દે. મને નંદીશ્વર દ્વીપ લઈ જા. એક ભવમાં બે ભવ થાય, એ પહેલાં ત્યાંનાં દર્શન કરી લઉં.' સુંદર એવો નંદીશ્વર દ્વીપ. વિદ્યાધર રાજાના પિતા મણિચૂડ ત્યાં તપસ્વીને વેશે રહે. બંને જણાંએ તેમને નમસ્કાર કર્યા. મણિચૂડ મુનિ માનસશાસ્ત્રના જાણકાર હતા. તેમણે સ્ત્રીને દુઃખિયારી દીઠી. બધો વૃત્તાંત પૂક્યો. મયણરેખાએ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005464
Book TitleMayanrekha Ilachikumar Dhanya Ahimsa
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy