SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ તેમાં શાન્તિ ક્યાંથી હોય ?” ચંદના રાજમહેલમાં રહે, પણ તેનું મન મહાવીરના ધ્યાનમાં. ન ત્યાંનાં ઘરેણાંગાંઠામાં લોભાય કે ન ત્યાંનાં મેવામીઠાઈમાં લોભાય, એ તો પોતાને ઢોરમાંથી મનુષ્ય બનાવનાર એ મહાયોગીને યાદ કરે. સદાયે મુખમાં વીર ! વીર ! વીર ! કરે. જૈન બાલગ્રંથાવલિ શ્રેણી : ૧ - ૪ તેને મહાવીરના જીવનનો રંગ લાગ્યો, પણ વી૨ને હજી કેવળજ્ઞાન થયું નથી એટલે કોઈને ઉપદેશ દેતા નથી, કોઈને શિષ્ય કરતા નથી. ચંદનબાળા તેમને કેવળજ્ઞાન થવાની રાહ જોતી પવિત્ર જીવન ગાળવા લાગી. થોડા વખત પછી પ્રભુ મહાવીરને કેવળજ્ઞાન થયું. એટલે ચંદનબાળાના મનોરથ પૂરા થયા. તેમણે પ્રભુ મહાવીરની આગળ દીક્ષા લીધી. એ જ પ્રભુ મહાવીરનાં પહેલાં ને મુખ્ય સાધ્વી. તેમણે આકરાં તપ કર્યાં. દોહ્યલાં સંજમ ધારણ કર્યાં અને એમ કરીને મન, વચન, કાયાને પૂરાં પવિત્ર બનાવ્યાં. અનેક રાજરાણીઓ અને બીજી સ્ત્રીઓ તેમની શિષ્યા બની. છત્રીસ હજાર સાધ્વીઓમાં તેઓ વડેરાં બન્યાં. આયુષ્ય પૂરું થતાં મહાસતી ચંદનબાળા નિર્વાણ પામ્યાં. ધન્ય છે તેમના શિયળને. ધન્ય છે તેમના તપ અને ત્યાગને ! Jain Education International . For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005463
Book TitleMahasati Anjana Sati Chandanbala
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy