SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ જેન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૧-૪ સવારે વાત. રાજાને કહીને તમારી ચામડી ઉતરાવીશ ત્યારે જ તમે પાંસરા ચાલશો. ઓ નાદાનો, અહીંથી દૂર થાવ.' આ સાંભળી પવનજિતનો મિત્ર બોલ્યોઃ “વસંતમાળા ! એ ન હોય લંપટ રખવાળ, આ તો છે કુમાર પવનજિત !' પવનજિતનું નામ સાંભળતાં તે સફાળી બેઠી થઈ. દોડી આવીને કમાડ ઉઘાડ્યાં ને પવનજિતને લઈ અંજનાના ઓરડામાં આવી. અંજના ને પવનજિત મળ્યાં. પવનજિતનો મિત્ર ને વસંતમાળા ભવ-દુઃખિયારાં પતિ-પત્નીને એકાંત આપી બહાર ચાલ્યાં ગયાં. પવનજિતે પગે પડીને અંજનાની માફી માગી: પ્રિયતમા ! મેં તને વિના વાંકે ઘણું દુઃખ દીધું છે. માફ કરજે.” અંજના કહે, “સ્વામીનાથ ! આપને આમ પગે પડવું યોગ્ય નથી. એમાં આપનો શો વાંક. મારાં નસીબનો વાક. તમે ઊભા થાવ. મને શરમાવો નહીં.” પછી પવનજિતે અંજના સાથે આનંદમાં રાત પસાર કરી. વહાણે પાછા જતાં, આવ્યાની નિશાની બદલ પોતાના નામવાળી એક વીંટી આપી. અંજનાને હવે આનંદ થયો. આ જ રાતે તેને ગર્ભ રહ્યો. થોડા મહિનામાં અંજનાના શરીરનું રૂપ બદલાઈ ગયું. એટલે તેની સાસુ કેતુમતીએ કહ્યું: “અરે પાપિણી ! આ શું? બંને કુળને લજવે એવું આ શું કર્યું? પતિ પરદેશ ગયો ને તેં ગર્ભ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005463
Book TitleMahasati Anjana Sati Chandanbala
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy