SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૨-૩ મહામહેનતે પોતનપુર પહોંચીને એમણે રાજા પ્રસન્નચંદ્રને બધી હકીકત કહી. એટલે પ્રસન્નચંદ્રને ઘણું જ દુઃખ થયું. હા, મેં મૂરખે શું કર્યું? એક તો પિતાપુત્રને જુદા પાડ્યા ને મને ભાઈ મળ્યો નહીં ! હવે પિતાથી જુદો પડેલો એ અબુધ શું કરશે? તેમણે શોધ કરવા ચારે બાજુ પોતાના માણસો દોડાવ્યા. રાજાને ખૂબ શોક થયો. શોક પાળવા તેમણે હુકમ કર્યો કે મારા નગરમાં ક્યાંય વાજાં વાગે નહીં. વલ્કલચીરી પેલા તાપસોને શોધતો જંગલેજંગલ ભટકવા લાગ્યો. ભટકતાં ભટકતાં તેને એક રથવાળો મળ્યો. વલ્કલચીરીએ તેને જોઈ પ્રણામ કર્યા ને કહ્યું: “બાપજી, હું તમને પ્રણામ કરું છું.” રથવાળાએ પૂછયું “આપને ક્યાં જવું છે?” વલ્કલચીરી કહે, “મારે પોતાના આશ્રમમાં જવું છે.' રથવાળો કહે, “આવો ત્યારે, હું પણ ત્યાં જ જવાનો છું.' એમ કહી તેને રથમાં બેસાડ્યો. રથમાં તેની સ્ત્રી બેઠેલી હતી. વલ્કલચીરીએ તેને જોઈને કહ્યું: “બાપજી ! હું તમને પ્રણામ કરું છું.” સ્ત્રી અચંબો પામી. આ મને બાપજી કેમ કહે છે ? તેણે પોતાના સ્વામીને કહ્યું, એટલે તે બોલ્યોઃ “આ બિચારો ગમાર છે. વનમાં ઊછર્યો છે એટલે સ્ત્રીને તે ઓળખતો નથી.” પછી ઘોડાઓને જોઈને વલ્કલચીરીએ પૂછ્યું : “બાપજી, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005461
Book TitleRajarshi Prasannachandra Mahamantri Abhaykumar
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy