SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૨-૪ . . . .ت .ت .ن એ જ વખતે કિલ્લા ઉપરની વ્યક્તિએ હાથમાં ધનુષ્ય લઈ બાણ ચડાવ્યું અને સણણણ કરતું નીચે આવનારની પાસે જઈને પડ્યું. રાજા ચમકી ગયો. ધીમે રહીને આઘા તરી જઈ તીર ઝડપી લીધું. એને છેડે એક ચિઠ્ઠી બાંધેલી હતી. એને છોડી લઈ સાચવી રાખી. પછી પોતે બરાબર તાકીને તીર ચડાવ્યું, પણ વ્યર્થ. કિલ્લાની રાંગે અથડાઈ ને તે પાછું વળ્યું. ઉપરનાં બે જણાં હસતાં હસતાં ચાલ્યાં ગયાં. ચંડપ્રદ્યોત વિલખો થઈ પાછો વળ્યો. એણે તંબૂમાં આવી દીવાના અજવાળામાં પત્ર વાંચવા માંડ્યો. અવંતિરાજ પ્રદ્યોતરાજ ! ‘તમે જે આશાથી આવ્યા છો તેમાં નિરાશા જ મળવાની છે. હજીયે ચેતી જાઓ. તમારી આબરૂ, યશ અને કીર્તિ જાળવવા પાછા જાઓ. એક પ્રશ્ન પૂછું છું. જેમ તમે મારી માગણી કરી છે તેમ કોઈ બીજો તમારાં પટરાણી પરમ વિદુષી સતી સાધ્વી શિવાદેવીની માગણી કરે તો, તમે શું કરો? શિવાદેવી શું કરે તે વિચારજો. જેવા ઉદાર, મહાન અને સદાચારી તમે હશો, એવી જ છાપ તમારા ઘર અને કુટુંબ ઉપર પડશે. માટે હજીયે કહું છું, પાછા વળો. દુનિયામાં વિજય અને પરાજય એ તો ક્ષણિક છે. તમને દેહની ભૂખ છે. યાદ રાખજો સતી સ્ત્રીનો સજીવ દેહ પતિચરણે, દેવચરણે કે અગ્નિશરણે જ હોય છે. બસ, માટે તમારે સમજીને પાછા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005458
Book TitleMahasati Sita Sati Mrugavati
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy