________________
જૈન બાલગ્રંથાવલિ શ્રેણી ૨-૪
રાજા કહેઃ “સાટું હોય તેથી શું થયું? કાગડો દહીંથરું લઈ ગયો છે. એની રાણી મારા અંતઃપુરમાં શોભે તેવી છે. ભલે બે બહેનો-શિવા ને મૃગાવતી અહીં સાથે રહેતી. જાઓ, તાબડતોબ રાજદૂતને રવાના કરો!
રાજહુકમ આગળ કોનું ચાલે ? રાજા ચંડપ્રદ્યોતનો દૂત કૌશાંબીપુરીમાં પહોંચ્યો. રાજા શતાનિકને મળ્યો, પોતાના રાજાનો સંદેશો આપ્યો. રાજાએ રુક્કો વાંચ્યો, ને એમના હાથમાંથી નીચે પડી ગયો. મંત્રીએ તે લીધો. આખી સભા આ જોઈ બેબાકળી બની ગઈ. સહુને લાગ્યું કે નક્કી કંઈક ભયંકર સમાચાર લાગે છે. ત્યાં તો પડદામાંથી અવાજ આવ્યો: મંત્રીરાજ! લાવો રુક્કો.'
મંત્રીએ રુક્કો રાજરાણીને પહોંચાડ્યો.
રુક્કો વાંચતાં જ મૃગાવતીની આંખોમાંથી વીજળીનો ચમકારો થયો, હોઠ કરડ્યા અને હાથ પછાડ્યો. આખી રાજસભા મહારાણીના શબ્દો સાંભળી રહી :
મંત્રીરાજ ! આ રૂક્કો વાંચવા જેવો જ નથી. એને અગ્નિશરણ કરી દો. અને આ રુક્કો લાવનાર દૂતને સંભળાવી દો કે તારા રાજાને પોતાને સમ્રાટ મનાવનાર રાજાને-એટલીય શરમ ન આવી કે એ શું માગે છે ? એને કહો કે મારાં બેટીનાં હોય, વહુનાં ન હોય અને હું તો તમારી બહેન જેવી કહેવાઉં. હે દૂત, તારા રાજાને કહેજે ! તમે બધે યુદ્ધ ખેલ્યાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org