SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ * માખીને ઓળખો * (૧) માખી ઘર ઘરમાં જોવા મળતું જંતુ છે. તે ઉડતી જીવાત છે. ઊડીને શરીર ઉપર, ખાદ્યપદાર્થો ઉપર, કચરા ઉપર કે અશુચિ ઉપર પણ તે બેસે છે. ગંદકીના જીવાણુંઓ ખાદ્યપદાથો ઉપર સંક્રાન્ત કરીને તે રોગનો ફેલાવો કરે છે. આજુબાજુ માખીઓનો બણબણાટ ચાલુ હોય તો બેસવાની-સૂવાની, ખાવાની કે અન્ય કોઈપણ પ્રવૃત્તિમાં ખલેલ પડે છે. (૨) માખી ઉડીને ખુલ્લા દૂધ-ઘી-દાળ-શાક-તેલ-સાબુનાં ફીણ કે પાણી વગેરેમાં પણ પડી જાય છે. તે પછી તરત કાઢી તેને બચાવી લેવામાં ન આવે તો તરત મરી જાય છે. (૩) મોટે ભાગે ગંદકી હોય ત્યાં માખી ખૂબ પેદા થાય છે. કચરો, કેળાની છાલ, કેરીના ગોટલા-છાલ વગેરે ઉપર ખૂબ માખીઓ ભેગી થાય છે. (૪) ગંદકી એ માખીનું પ્રસુતિગૃહ છે. ઘરમાં જેટલી ગંદકી ઓછી, તેટલી માખીની ઉત્પત્તિ ઓછી. માખીની રક્ષા કરો. ૧) ઘરમાં ગંદકી ન થવા દો. ૨) ખાદ્યપદાર્થો તથા પાણીના ભરેલા સાધનો ઢાંકેલા રાખો. ૩) સાબુના પાણીમાં બોળેલા કપડાની બાલદી વગેરે સાધન ઢાંકીને રાખો. ૪) જમતાં, રસોઈ કરતાં, કપડાં ધોતાં, વાસણ માંજતાં, માખી વચ્ચે આવી ન જાય કે ભીનામાં પડી ન જાય તેની કાળજી રાખો. ૫) ખાદ્યપદાર્થ, પાણી કે ફીણમાં માખી પડે તો તરત તેને બહાર કાઢી લો. માખી ઊડી શકે તેમ ન હોય તો તરત જ કોલસાની રાખ માખી પર ભભરાવો. રખ્યાની ઉષ્મા મળતાં તરત તે સક્રિય બની જશે. ૬) ઘરમાં કેળાની છાલ વગેરે કચરાને ભેગા ન થવા દો. તરત તેનો યોગ્ય નિકાલ કરો. ૭) ઝીણી જાળીવાળા બારી-બારણાથી માખીઓ ઘરમાં પ્રવેશતી અટકે છે. ૮) ઘરમાં મીઠાવાળા પાણીનું પોતું કરવાથી માખી થતી નથી. Jain Education International ૧૧ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005450
Book TitleJivannu Mahamangal Jayna
Original Sutra AuthorN/A
AuthorHansbodhivijay
PublisherHansbodhivijay
Publication Year
Total Pages34
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy