SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ટુંકમાં સુખમાં, ઓછા કે ઘણા દુઃખમાં તથા સંસારની ભાતભાતની ઉપાધિ, જવાબદારીઓમાં તમારે આત્મલક્ષી બની સહનશીલતા, સમાધિ, પ્રસન્નતા, વૈરાગ્ય, અધ્યાત્મ ભાવ, ધર્મ સાધના આ બધું શક્ય એટલું વધારતા જ જવું. બીજી એક વિચારવાની વાત એ છે કે કેટલાક ધર્મી કાયમ રોદણાં રડતા હોય છે કે ઘરના યાત્રા વગેરે કરાવતા નથી. અમુક રોગ છે વગેરે. જ્યારે અનુકૂળતા હતી ત્યારે ધર્મ ન કર્યો. ત્યારે મોજમજા ઊડાવી. હવે જ્યારે તીર્થયાત્રા વગેરેના સંયોગો નથી ત્યારે ખોટી હાયવોય છોડી વર્તમાન સંજોગોમાં જે આરાધના શક્ય હોય તે ભાવથી, વિધિપૂર્વક ખૂબ સારી કરવી જોઈએ. સંસારી દરેક લગ્નાર્થી સમજે જ છે કે કન્યા સારી ન જ મળે તો છેવટે જે મળે તેને પરણું તો કેટલાક સુખ મળે. એમ ધર્મીને સંયોગ, શકિત પ્રમાણે થાય તે ધર્મ કરવાથી જ આત્મિક થોડા-ઘણાં ફળ મળે. વિવેકાનંદજી કહે છે કે દરેક દુઃખ પોતાની સાથે ટનબંધ સુખો લઈને જ આવે છે. એટલે કે જે હસતા દુઃખ વેઠે તેને એની સાથેના સુખો મળે જ! દુઃખ આવે ત્યારે સમજુએ દૃષ્ટિકોણ બદલવો જોઈએ. પોતાનાથી વધુ દુઃખીના દુઃખની અપેક્ષાએ મને તો કાંઈ દુઃખ નથી એવા પોઝીટીવ એન્ગલથી વિચારવાથી દુઃખ થતું નથી. પણ દુઃખ વખતે બીજા સુખીઓના સુખની વિચારણાથી દુ:ખ ઘણું લાગે. આમ આ વાત માનવના હાથની જ છે કે દુઃખી બનવું કે સુખી બનવું. દુઃખમાં નહીં મળેલા સુખોનો વિચાર કરવાને બદલે બીજા ઘણાને મળેલા અનેક દુઃખોથી પોતે બચી ગયો એ વિચારી ખુશ રહેવાથી ઘણા લાભ થાય છે. મકાન બંધાવતાં બારી પૂર્વમાં રાખે તે સમજુ માણસને રોજ ઊગતો સૂર્ય જોવા મળે. તથા સૂર્યનો અસ્ત જોવાથી બચી જાય. એવી રીતે જ્ઞાનદષ્ટિથી આપણું સુખ વધતુ જાય. - ૪૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005441
Book TitleJain Dharmni Samaj Part 01 to 03
Original Sutra AuthorN/A
AuthorBhadreshvarvijay
PublisherBhadreshvarvijay
Publication Year
Total Pages52
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy