SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ મનમાં એ દઢ કરવા જેવું છે કે માળા જેમ તેમ ગણી નાખવાથી બહુ અલ્પ ફળ મળે છે. જ્યારે સમજીને ખૂબ સારી રીતે ગણવાથી અનેકગણું શુભ ફળ જરૂર મળે છે. જેમ વિદ્યાર્થી એન્જિનિયરીંગનું પેપર ખૂબ સારામાં સારી રીતે લખે છે. તેમ તમારે આવી સુંદર સાધના ખૂબ સારી રીતે કરવી જોઈએ. માળા ગણ્યા પછી વિચારવું કે કયા વિચારોથી ધ્યાન ન આવ્યું, તેવા નિમિત્તોથી દૂર રહેવું. માળા ખૂબ સારી ગણાય તેવા ઉપાય વિચારતા રહી શ્રેષ્ઠ ગણવા પૂરી કાળજી રાખવી. વહેલી પરોઢે ગણવી. માળા એક જ રાખવી. મહેનતથી ધીરે ધીરે વધુ સારી રીતે નવકારવાળી ગણાશે. વળી આવી ઝંખના અને મહેનત કરનારને કર્મોદયે અત્યારે કદાચ શુભ ભાવ ઓછા આવે તો પણ મહેનત વગેરે કારણે એવા શુભ અનુબંધ બંધાય છે કે કાલાંતરે ખૂબ સારી નવકારવાળી ગણાશે. શુભ ઈચ્છાને કારણે પુણ્ય પણ સુંદર બંધાય. વર્તમાનકાળે પણ આ નવકાર આપત્તિમાં ગણવાથી ઘણાં બધાને દુઃખ, આપત્તિ દૂર થવાનો અનુભવ થાય છે. હે ધર્મી શ્રાવકો ! તમે પણ શક્ય સુંદર રીતે આ માળા ગણી સ્વપરહિત સાધો એ શુભેચ્છા. * સામાયિક0 , સામાયિક એ શ્રાવકો માટે ખૂબ જરૂરી ધર્મ છે. ભગવાન કહે છે કે ધર્મી શ્રાવકે શક્ય વધુ સામાયિક કરવા જોઈએ. શાસ્ત્રોમાં સામાયિકનું ફળ સમતા, સંતોષ, સુખ, શુભ, અધ્યવસાય, નિર્જરા, પુણ્ય, મોક્ષ વગેરે ઘણું કહ્યું છે. એ વાત પ્રસિદ્ધ છે કે પુણિયા શ્રાવકના એક જ સામાયિકથી શ્રેણિકની નરક અટકે એ ખુદ ભગવાને ફરમાવ્યું છે. આ બધો મહિમા વિચારી દરેક શ્રાવકે સામાયિક શક્ય (૨૩) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005441
Book TitleJain Dharmni Samaj Part 01 to 03
Original Sutra AuthorN/A
AuthorBhadreshvarvijay
PublisherBhadreshvarvijay
Publication Year
Total Pages52
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy