________________
૩. નૂતન વર્ષે અભિનંદન નવા વર્ષનાં નવલા પ્રભાતે એક મહાન જૈનની સાધના વાંચો. નૂતન વર્ષે સર્વે ઇચ્છે છે કે આજનો દિવસ અને આ વર્ષ સુખશાંતિમાં વીતો. આ સુશ્રાવિકાએ બેસતા વર્ષે જે એવું શ્રેષ્ઠ કાર્ય કર્યું કે તેણે માત્ર એક જ વર્ષ નહીં, એક ભવ નહી, પણ ભવોભવ દિવ્ય શાંતિ અને સુખનું રિઝર્વેશન કરાવી લીધું !!!
આ શ્રાવિકાએ મરતાં જે સમાધિ સાધી તે જાણવા ને પામવા જેવી ઘટના છે. એ ધર્મિષ્ઠાબહેન ૨૦૫૪ ના બેસતા વર્ષે સ્વર્ગવાસી બન્યા. પાલીતાણામાં માંગલિક શ્રવણ, પૂજા આદિ આરાધના કરી એ સપરિવાર સ્વગામ જવા નીકળ્યાં. ધંધુકા પાસે ગાડી વૃક્ષ સાથે ટકરાતાં એકસીડન્ટમાં તેમના બે સંતાન તો તરતજ મૃત્યુ પામ્યા. બે જણને ખૂબ વાગ્યું. ધર્મિષ્ઠાબહેનને પણ વાગ્યું. પણ બહારથી ખાસ માર લાગતો ન હતો. જો કે અંદર મૂઢ માર ઘણો હતો, તેથી તેમનું પણ થોડા સમયમાં મોત થયું.) છતાં પતિએ તેમને પૂછયું કે “શું થાય છે ?” તો તેમણે કહ્યું કે “ખાસ તફલીફ નથી. મને નવકાર, નવસ્મરણ સંભળાવો!”
- આ શ્રાવિકાની આત્મહિતચિંતા ગજબની હશે. કારણકે એમના સંજોગો વિચારવા જેવા છે. સાથે પતિ અને પરિવાર છે. ભયંકર અકસ્માત થયો છે. આવા વખતે માણસને મારા સંતાનો વગેરેને વાગ્યું નથી ને? વગેરે ચિંતા થાય જ. આમના તો બે સંતાનો મર્યા અને E F [ ૬] F G H
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org