________________
સમુદાયના સાધુ-સાધ્વીની વૈયાવચ્ચ ભાવભક્તિથી કરતી હતી !! કદી કોઇની પણ નિંદા ન કરે !!! આ જ બાબત એ સિદ્ધ કરે છે કે આ શ્રાવિકાને મોક્ષની લગની હતી !! ફાલતુ બાબતોથી એ અલિપ્ત હતી !
આખા જીવનમાં આરાધેલા ઘર્મે જ એને મરતાં સમાધિ સમર્પી દીધી ! આપણે અનંતવાર મર્યા પણ મરતા સમાધિ એક વાર મળી નથી. તેથી જ જિનશાસને પણ જય વીયરાય વગેરેમાં સમાધિની પ્રાપ્તિ માટે ખૂબ ભાર આપ્યો છે. તે જૈનો ! તમે પણ સમાધિ મૃત્યુની મહત્તા સમજી જીવન ધર્મમય બનાવો.
ધર્મિષ્ઠાબહેને રસ્તામાં જ ટ્રકમાં જ નવકારના શ્રવણ અને રટણ કરતાં કરતાં સદ્ગતિ સાધી લીધી ! તેમના પતિની પ્રસિદ્ધિથી દૂર રહેવાની ભાવનાથી નામ વગેરે બદલ્યાં છે. તે આત્મહિત ચાહકો ! જો તમને ઘર્મમાં ખરેખર શ્રધ્ધા છે તો આ એક જ ધ્યેય રાખો કે સમાધિ મૃત્યુ મળે માટે જીવન ભાવ ધર્મમય બનાવવું. હે ભવ્યો ! તમે સર્વત્ર સમાધિને સાધો એ એક માત્ર નૂતન વર્ષે અભિનંદન.
૪. ઇતર દેવ માનવાના નુકશાન
વડોદરામાં એક ધર્મપ્રેમી સુશ્રાવિકા રહે છે. આપણે એમનું નામ કલ્પિતાબહેન રાખીયે. એ બીમાર હતાં. ઘરનાં દોરા-ધાગા કરવાનું કહેવા લાગ્યા. પરંતુ આ કલ્પિતાબહેન અન્ય દેવ-દેવી ન માનવાના પોતાના નિયમમાં મક્કમ રહ્યાં. કંટાળીને ઘરનાં વારંવાર કહેવા R E F [૮] E F Fા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org