________________
તમે સૌ પણ રમણભાઈના જીવનમાંથી પ્રેરણા લઈ મળેલા આ મહાન માનવજન્મ ને સફળ બનાવી લ્યો એ જ શુભેચ્છા.
'૧૧. લોચનો લાભ લેનાર
ગુજરાતના એ ભાગ્યશાળી ભવ્ય ભાવનાઓના ભંડાર છે. આયંબિલ માત્ર રોટલી અને કરિયાતાથી કરે છે ! સાધુ-વૈયાવચ્ચ, જ્ઞાનની ભક્તિ વગેરે ઘણી આરાધના કરે છે.
બાજુના ઉપાશ્રયમાં એ લોન્ચ કરવા આવેલા. મારા લોચ માટે મેં કહેવરાવ્યું. તેઓ તરત જ આવ્યા. વ્યાખ્યાન, ગોચરી વગેરે જરૂરી કામ હોવાથી બપોરના ૧૨ પહેલાં નહીં ફાવે એમ મેં કહ્યું. તરત જ તે ભકિતભાવ ભરેલા હૈયે બોલ્યા, “સાહેબજી ! ભલે તમે બધાં કામ કરી લ્યો, પછી લોચ કરીશ.” પોતાને જલ્દી પાછા જવાનું હોવા છતાં રોકાઈ ગયા. જમવાનો તેમને સુશ્રાવકે ખૂબ આગ્રહ કર્યો પણ ન માન્યા.
ત્યારના થોડા પરિચયમાં પણ તેમના હૈયામાં ઉછળતો ગુરુ-આદરનો ધોધ સાક્ષાત્ જોઈ તથા તેમને મોઢે તેમના અરમાનો, આરાધના, ધર્મભાવનાઓ સાંભળી મને તેમના પ્રત્યે માન થઈ ગયું. એ નિવૃત્ત છે અને શક્ય તેટલી ખૂબ આરાધના કરે છે. સાધુઓની લોચની ભક્તિ કરતા જોઈ ભાવિકોએ બહુમાન સ્વીકારવાની ખૂબ આજીજી કરી પણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org