SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૧.૫ .ن.ن.ت.ت.ت.ن છે, અને પાસેના નગરમાં તેનાં માબાપને તેડવા માટે ચંડાળને મોકલ્યો છે. હું બ્રાહ્મણ છું અને એ તો વાણિયાની વહુ છે. તેના ધણીએ તેને માર્યાથી તે રિસાઈ છે, અને તેનો પાડોશી છું તેથી તે મારી પાછળ આવી છે.” એવામા એક અંત્યજ તેની માતાને તેડી લાવ્યો. સારથિ બ્રાહ્મણે તેને પુત્ર આવ્યાની વધામણી આપી. એમ સઘળી વાત સાચી થયાથી સાગર બોલ્યો : “હે વિમળ ! તું હાર્યો. હવે તારી માલમિલકત બધી મારી છે. તે વખતે વિમળે ઠગબાજી અજમાવી હસતાં હસતાં કહ્યું: ‘હું તો તારી સાથે હસતો હતો, અને તું તો બધું સાચું માની બેઠો ! વાહ સાગર !' સાગરે કહ્યું: ‘જવા દે એ ઠગાઈ! તારી બધી મિલકત મને આપી દે.' - સાગરે બધાં કરિયાણાં લઈ લીધાં. વિમળને માથે તો જાણે વીજળી પડી. આટલી મહેનતથી ભેગું કરેલું ધન આટલી જ વારમાં ખલાસ ! તે મૂઢ જેવો થઈ ગયો. પિતા મહાપરાણે તેને ઘેર લાવ્યા. પછી વિમળ પિતાજી તરફ નમ્ર થઈને બોલ્યોઃ “પિતાજી! તમે સાગરને મનાવો, યા ગમે તે રીતે આપણું ધન પાછું મેળવો. નહીંતર એક ઉપાય છે કે સાગરે તમને સાક્ષી રાખ્યા છે. માટે જો જરૂર પડે તો રાજસભામાં શરતનો ઇનકાર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005423
Book TitleKan Kathiyaro Amarkumar Satya no Jay
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy