________________
જૈન બાલગ્રંથાવલિ શ્રેણી : ૧ - ૧૦
નીંભાડામાં સંતાડી દીધો. નીંભાડામાં તે માણસ ક્યાંથી સંતાયો હોય ? મારાઓ થોડીઘણી તપાસ કરીને આગળ ચાલ્યા ગયા.
કુમારપાળ ત્યાંથી નીકળીને ભાગ્યો; સાંજ સુધી ચાલ્યો, પણ સાંજે પાછું વાળીને જુએ તો સિપાઈઓ પગેરું લેતા આવતા દેખાયા. પાસે જ ખેતર હતાં. ખેડૂતો વાડ કરતા હતા. કાંટાના ગળિયા પડ્યા હતા. કુમા૨પાળે ભીમદેવ નામના ખેડૂતને પોતાને બચાવવા વિનંતી કરી. એ વખતના રજપૂતો આશરાગતનું રક્ષણ કરવામાં પુણ્ય માનતા. ખેડૂતોએ કુમારપાળ પર કાંટાના ગળિયા ગોઠવી દીધા.
પગેરું લેતા સિપાઈઓ ત્યાં આવી પહોંચ્યા. ખેડૂતોને પૂછ્યું કે કોઈ અહીંથી ગયું ? ખેડૂત કહે, ના બાપજી ! એક સિપાઈએ પોતાનો ભાલો કાંટાના ગળિયામાં ખોસ્યો, પણ કાંઈ ન જણાયું. તેઓ આગળ ચાલ્યા ગયા. કુમારપાળ યમરાજની દાઢમાંથી બચી ગયો.
આખી રાત કુમારપાળ કાંટામાં રહ્યો. બીજે દિવસે સવારે એમાંથી એને કાઢ્યો. આખે શરીરે કાંટા ભોંકાયેલા. બધે લોહીલુહાણ. એ ત્યાંથી ભૂખ્યોતરસ્યો આગળ વધ્યો. થોડે દૂર જઈ એક ઝાડીમાં આરામ લેવા બેઠો.
અહીં એક આશ્ચર્ય જોયું : એક ઉંદર પાસેના દરમાંથી ચાંદીના સિક્કા બહાર લાવતો હતો ! આ પ્રમાણે એ ૨૧ સિક્કા બહાર લાવ્યો. પછી પાછો સિક્કા દરમાં લઈ જવા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org