SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી : ૧ - ૧૦ નીંભાડામાં સંતાડી દીધો. નીંભાડામાં તે માણસ ક્યાંથી સંતાયો હોય ? મારાઓ થોડીઘણી તપાસ કરીને આગળ ચાલ્યા ગયા. કુમારપાળ ત્યાંથી નીકળીને ભાગ્યો; સાંજ સુધી ચાલ્યો, પણ સાંજે પાછું વાળીને જુએ તો સિપાઈઓ પગેરું લેતા આવતા દેખાયા. પાસે જ ખેતર હતાં. ખેડૂતો વાડ કરતા હતા. કાંટાના ગળિયા પડ્યા હતા. કુમા૨પાળે ભીમદેવ નામના ખેડૂતને પોતાને બચાવવા વિનંતી કરી. એ વખતના રજપૂતો આશરાગતનું રક્ષણ કરવામાં પુણ્ય માનતા. ખેડૂતોએ કુમારપાળ પર કાંટાના ગળિયા ગોઠવી દીધા. પગેરું લેતા સિપાઈઓ ત્યાં આવી પહોંચ્યા. ખેડૂતોને પૂછ્યું કે કોઈ અહીંથી ગયું ? ખેડૂત કહે, ના બાપજી ! એક સિપાઈએ પોતાનો ભાલો કાંટાના ગળિયામાં ખોસ્યો, પણ કાંઈ ન જણાયું. તેઓ આગળ ચાલ્યા ગયા. કુમારપાળ યમરાજની દાઢમાંથી બચી ગયો. આખી રાત કુમારપાળ કાંટામાં રહ્યો. બીજે દિવસે સવારે એમાંથી એને કાઢ્યો. આખે શરીરે કાંટા ભોંકાયેલા. બધે લોહીલુહાણ. એ ત્યાંથી ભૂખ્યોતરસ્યો આગળ વધ્યો. થોડે દૂર જઈ એક ઝાડીમાં આરામ લેવા બેઠો. અહીં એક આશ્ચર્ય જોયું : એક ઉંદર પાસેના દરમાંથી ચાંદીના સિક્કા બહાર લાવતો હતો ! આ પ્રમાણે એ ૨૧ સિક્કા બહાર લાવ્યો. પછી પાછો સિક્કા દરમાં લઈ જવા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005421
Book TitleMaharaja_Kumarpal_Vastupal Tejpal Mahatma Drudhprahari
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy