________________
વસ્તુપાળ-તેજપાળ
૧૯
તરફ ચાલ્યા. ત્યાં ઘણાખરા રાજાઓને વશ કરી લીધા. એમ કરતાં તેઓ વણથલી આગળ આવ્યા.
ત્યાં રાણા વીરધવલના સાળા સાંગણ ને ચામુંડ રાજ્ય કરતા હતા. તેમનાં અભિમાન – અંહકારનો પાર નહોતો. તેમને ઘણું સમજાવ્યા, પણ તેઓ તાબે ન થયા, એટલે લડાઈ થઈ. તેમાં સાંગણ ને ચામુંડ માર્યા ગયા.
વસ્તુપાળનો વિજય થયો. વસ્તુપાળ તેના પુત્રોને ગાદી આપી. આમ સૌરાષ્ટ્રમાં વિજયનો ડંકો વગાડી વસ્તુપાળ રાજાની સાથે ગિરનાર ગયા. ભક્તિપૂર્વક યાત્રા કરી તેઓ પાછા ફર્યા.
ભદ્રેશ્વરનો રાણો ભીમસિંહ વિરધવળનો ખંડિયો રાજા હતો, પણ તેણે ખંડણી આપવા ના પાડી. તેના લશ્કરમાં ત્રણ બહાદુર લડવૈયા હતા. એટલે તેને અભિમાન હતું કે મને કાંઈ જ થનાર નથી. રાણા વિરધવળે તેના પર ચડાઈ કરી, પણ તેઓ આ લડાઈમાં હારી ગયા. એવામાં વસ્તુપાળ લશ્કર લઈને આવી પહોંચ્યા ને ખૂબ કુશળતાથી લડ્યા. અંતે જીત મેળવી.
વસ્તુપાળે આ કઠિન વિજય કરીને પાછા ફર્યા. ત્યાં સાંભળ્યું કે ગોધરાનો રાજા ધુધલ ખૂબ છકી ગયો છે. તે પોતાની પ્રજાને ગમે તેવો ત્રાસ આપે છે. આથી વસ્તુપાળે તેને કહેણ મોકલ્યું કે રાણા વિરધવળને તાબે થાઓ.
તેણે એ તો સાંભળ્યું નહિ, ઊલટું એક દૂત સાથે કાજળ, કાંચળી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org