SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ Em e61267PSTEIDEN KIRSIES સુપ્રસિદ્ધ જૈનપુરી લેખાતી, ને રાજનગર તરીકે વિખ્યાત હતી. અમદાવાદમાં શેઠ હેમાભાઈની, શેઠ પ્રેમાભાઈની, શેઠ હઠીભાઈની જાહોજલાલીને સમય ચાલતો હતો. મુંબઈમાં શેઠ મોતીચંદ અમીચંદ વગેરે અગ્રગણ્ય હતા. " વિદ્વાન જૈન સાધુઓ પણ ધર્મની ભરપૂર જાહેર જલાલી પ્રવર્તાવતા વિહરતા હતા. રાજકારે ને કારે આ મુનિપુંગવોની અજબ પ્રતિષ્ઠા હતી. અઢારે આલમ એમને શિષ્યપદમાં રાચતી. એ કાળ ધર્મ-ઉછરંગને હતો, એછવરંગ વધામણને હતા. નિત્ય જમણ, નિત્ય ઓરછવ, નિત્ય પ્રતિષ્ઠા ને નિત્ય સંઘનાં ભવ્ય પ્રયાણ થતાં રહેતાં. એ યુગ સુખશાંતિને હતો. શત્રુંજય પર અસંખ્ય મંદિરે અદ્ભુત કલાકારીગરીથી નિર્માણ થઈ રહ્યાં હતાં. આખું પાલીતાણું રાજ્ય નગરશેઠ વખતચંદને ત્યાં ગિર હતું. સ્વાભાવિક છે કે કેશવરામના વૈરાગ્યવાસિત દિલને જૈન સાધુઓને પરિચય રુ હેય; એમના કડક સિદ્ધાંત અને અતિ કઠિન તપ-આચાર મનને ભાવ્યાં હોય. એટલામાં માતાને સ્વર્ગવાસ થયો. કદાચ નિઃસંતાન પત્ની પ્રથમ ગુજરી ગઈ હશે. કેશવરામ બધું વેચીસોટી માતાનું કારજ કરી “ભલુ થયું ભાંગી જંજાળની જેમ નિવૃત્ત થયા. પછી સિદ્ધગિરિના કોઈ સંઘ સાથે કેશવરામે પાલીતાણું તરફ પ્રયાણ કર્યું, પણ માર્ગમાં તેમને વ્યાધિએ ઘેરી લીધા. શ્રી શુભવિજયજી નામના સુજ્ઞ મુનિરાજે તેમને પોતાની પાસે રાખ્યા ને ઉપચારથી સ્વસ્થ કર્યા. કેશવરામને “સગપણ એક 1977ESSITATIONDEP BETETZEANIA SLIP Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005419
Book TitleAntray Karm Nivaran Ashtprakari Pooja
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJivan Mani Sadvachan Mala Trust
Publication Year1974
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy