________________
P
રાકેશરાઇ 2017 જાન્જી
.
ન ધન્ય વચન
IZZERA,24" PIESE
આવી રૂડી ભગતિ મેં પહેલાં ન જાણ; સંસારની માયામાં મેં તે વલોવ્યું પાણી.”
પં. વીરવિજયજી એ કવિ ધન્ય છે, જે પ્રભુની ભક્તિથી સભર જનગણમન-ઉદ્ધારક ગતિ રચે છે!
એ ગીતકાર ધન્ય છે, જે સુમિષ્ટ કંઠે આ પ્રેમરસને હાલે પોતે પીએ છે, ને અન્ય સહુને પાય છે! - એ શ્રોતાઓને ધન્ય છે, જેનાં શ્રવણ, જિહવા ને મન આ ભક્તિરસના પાનથી રંગમછઠ બન્યાં છે!
એ વિદ્વાનોને ધન્ય છે, જેઓએ સો ટચના સુવર્ણપાત્રમાં ટકનારી, સિંહના દૂધ જેવી આગમવાણીને લેકકલ્યાણ કાજે સરલ ભાવ ને સુસંવાદી અર્થમાં અવતારી છે!
અને એ નમ્ર પૂજારીને ધન્ય છે, જે જે ભરાયેલી શાસ્ત્રપ્રતિમાને રેજ જળ પખાળે છે, ને દૂધે અભિષેક કરે છે!
મેં તો આ પુસ્તકમાં કઈ પવિત્ર મંદિરમાં અનધિકારે પ્રવેશ કરી, દીપ પેટાવવાનું, ધૂપ કરવાનું કે બુહારી દેવાનું કામ કર્યું છે; અને એને મનને એટલો જ પરિતોષ છે.
ESTRATees Jain Education International For Personal & Private Use Only
www.jainelibrary.org