SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૦ શ્રી પ્રવજ્યા ગાદિ વિધિ સંગ્રહ ૩૦ સાંજની ક્રિયા પ્રવીણ શ્રાવિકા સ્થાપનાચાર્ય સમીપે પણ કરી શકે. (શ્રી હીરપ્રશ્ન) ૩૧ વરસાદનું માવઠું એ અકાળવૃષ્ટિ કહેવાય છે, પણ તેથી ઉપધાનમાં દિવસે વધતે નથી. ૩૨ કાર્તિક આદિ ત્રણ ચાતુર્માસમાં અઢી દિવસની જે અસક્ઝાય ગણાય છે તે ઉપધાનમાં ગણવાની નથી. ૩૩ જરૂરી કારણે પાલી પલટાવવામાં આવે છે, એટલે બે એકાસણું એક સાથે કરાવવામાં આવે છે. ૩૪ ઉપધાન વહન કરાવવાના અધિકારી મહાનિશીથના વેગ વહન કરનાર મુનિ અથવા ગણિ અગર પંન્યાસ થયા હોય તેવા મુનિએ છે, તેમાં પણ જેમને શાસ્ત્ર વિશેષ હોય, કિયા કરાવવામાં પ્રવીણ હાય, જિતેન્દ્રિય હેય, શુદ્ધ અને પૂર્ણ ક્રિયા કરાવવાની રુચિવાળા હોય, રહસ્ય સમજતા હોય તેવા મુનિઓ યોગ્ય છે. ૩૫ એક સાથે વહેવાને ચાર ઉપધાને પૈકી ગાઢ કારણથી જે એક કે બે અઢારીયા વહન કરવામાં આવે, અથવા એક જ અઢારીયું વહન કરવામાં આવે છે, ત્યાર પછી બાર વરસની અંદર ચારમાંથી બાકી રહેલાં વહન કરે છે તે અઢારીયું લેખામાં ગણાય, ત્યાર પછી લેખામાં ન ગણાય, અને ચોથું તથા છઠું ઉપધાન વહન કર્યા પછી છ માસની અંદર માલ ન પહેરે છે, એ બે ઉપધાન ફરીથી વહન કરવા પડે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005415
Book TitlePravrajya Yogadi Vidhi Sangraha
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherJambuswami Jain Muktabai Agam Mandir
Publication Year1976
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy