________________
કર્તા ઈશ્વર કોઈ નહિ, ઈશ્વર શુદ્ધ સ્વભાવ; અથવા પ્રેરક તે ગયે, ઈશ્વર દોષપ્રભાવ. ૭૭ ચેતન જો નિજ ભાનમાં, કર્તા આપ સ્વભાવ; વર્તે નહિ નિજ ભાનમાં, કર્તા કર્મ-પ્રભાવ. ૭૮
(૪) શંકા-શિષ્ય ઉવાચ (તે કર્મનું ભોક્તાપણું જીવને નહિ હોય ?
એમ શિષ્ય કહે છે :-) જીવ કર્મ કર્તા જ્હો, પણ ભોકતા નહિ સોય; શું સમજે જs કર્મ કે, ફળ પરિણામી હોય ? ૭૯ ફળદાતા ઈશ્વર ગણ્ય, ભોકતાપણું સધાય; એમ કહો ઈશ્વરતણું, ઈશ્વરપણું જ જાય. ૮૦ ઈશ્વર સિદ્ધ થયા વિના, ગત નિયમ નહિ હેય; પછી શુભાશુભ કર્મનાં, ભોગ્યસ્થાન નહિ કોય. ૮૧
(૪) સમાધાન-સદ્ગુરુ ઉવાચ (જીવને પોતાનાં કરેલાં કર્મનું ભોક્તાપણું છે,
એમ સગુરુ સમાધાન કરે છે ) ભાવકર્મ નિજ કલ્પના, માટે ચેતનરૂપ; જીવવીર્યની ફુરણા, ગ્રહણ કરે જsધૂપ. ૮૨
શ્રીરાજવંદના
૬૮
Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org