________________
સં શયબીજ ઊગે નહીં અંદર, જે જિનનાં કથનો અવધારું; રાજ્ય, સદા મુજ એ જ મનોરથ, ધાર, થશે અપવર્ગ ઉતારુ. ૨
(મોક્ષમાળા શિક્ષાપાઠ-૪૫)
(તૃષ્ણાની વિચિત્રતા)
(મનહર છંદ) (એક ગરીબની વધતી ગયેલી તણા) હતી દીનતાઈ ત્યારે તાકી પટેલાઈ અને, મળી પટેલાઈ ત્યારે તાકી છે શેઠાઈને; સાંપડી શેઠાઈ ત્યારે તાકી મંત્રિતાઈ અને, આવી મંત્રિતાઈ ત્યારે તાકી નૃપતાઈને. મળી નૃપતાઈ ત્યારે તાકી દેવતાઈ અને, દીઠી દેવતાઈ ત્યારે તાકી શંકરાઈને; અહો ! રાચંદ્ર માનો માનો શંકરાઈ મળી; વધે તૃણાઈ તોય જાય ન મરાઈને. ૧ કરોચલી પડી દાઢી ડાચાં તણો દાટ વળ્યો, કાળી કેશપટી વિશે શ્વેતતા છવાઈ ગઈ; શ્રીરાજવંદના
Jain Education International For Personal & Private Use Only
www.jainelibrary.org