________________
સૌની સાથે સ્વાત્મતુલ્ય વ્યવહાર રાખો.
ઘીરેસે બોલો, પ્રેમસે બોલો, આદર દેકર બોલો,
જરૂરત હોને પર બોલો.
જીવનની પ્રત્યેક ક્ષણનો સત્કાર્યો દ્વારા સદુપયોગ કરો,
અને આત્મલક્ષ વર્ધમાન કરો.
અંતરમાં રહેલું સાચું સુખ પ્રગટ કરવા સત્સંગ, સદ્વાચન,
સવિચાર અને સદાચાર સેવો.
શ્રદ્ધા, સમર્પણ, સાચું જ્ઞાન, ધીરજ, ખંત, પરોપકાર અને ગુરુકૃપાની પ્રાપ્તિ - આ સઘળી સંત થવાની કૂંચીઓ છે.
સંત શ્રી આત્માનંદજી
Jain Education International For Personal & Private Use Only Www.jainelibrary.org