________________
શ્રી સદગુરુ ઉપકાર-મહિમા) પ્રથમ નમું ગુરુરાજને, જેણે આપ્યું જ્ઞાન; જ્ઞાને વીરને ઓળખ્યા, ટળ્યું દેહ-અભિમાન. ૧ તે કારણે ગરરાજને , પ્રણમું વારંવાર; કૃપા કરી મુજ ઉપરે, રાખો ચરણ મોઝાર.૨ પંચમ કાળે તું મળ્યો, આત્મરત્ન-દાતાર; કારજ સાર્યા માહરાં, ભવ્ય જીવ હિતકાર. ૩ અહો ! ઉપકાર તુમારડો, સંભારું દિનરાત; આવે નયણે નીર બહુ, સાંભળતાં અવદાત. ૪ અનંતકાળ હું આથડ્યો, ન મળ્યા ગુરુ શુદ્ધ સંત; દુષમ કાળે તું મળ્યો, રાજ નામ ભગવંત. ૫ રાજ રાજ સૌ કો કહે, વિરલા જાણે ભેદ; જે જન જાણે ભેદ છે, તે કરશે ભવછેદ. ૬ અપૂર્વ વાણી તાહરી, અમૃત સરખી સાર; વળી તુજ મુદ્રા અપૂર્વ છે, ગુણગણ રત્ન ભંડાર. ૭ તુજ મુદ્રા તુજ વાણીને, આદરે સમ્યકૂવંત; નહિ બીજાનો આશરો, એ ગુહા જાણે સંત. ૮ બાહા ચરણ સંતનાં, ટાળે જનનાં પાપ; અંતરચારિત્ર ગુરુરાજનું, ભાંગે ભવ સંતાપ. ૯ શ્રીરાજવંદના
૮૯
Jain Education International For Personal & Private Use Only
www.jainelibrary.org