________________
નિત્યક્રમ
કર્મ અનંત પ્રકારનાં, તેમાં મુખ્ય આઠ; તેમાં મુખ્ય મોહનીય, હણાય તે કહું પાઠ. ૧૦૨
કર્મ મોહર્નીય ભેદ બે, દર્શન ચારિત્ર નામ; હણે બોઘ વીતરાગતા, અચૂક ઉપાય આમ. ૧૦૩
૮૫
કર્મબંઘ ક્રોઘાદિથી, હણે ક્ષમાદિક તેહ; પ્રત્યક્ષ અનુભવ સર્વને, એમાં શો સંદેહ ? ૧૦૪
છોડી મત દર્શન તણો, આગ્રહ તેમ વિકલ્પ; કહ્યો માર્ગ આ સાધશે, જન્મ તેહના અલ્પ. ૧૦૫ ષપદનાં ષપ્રશ્ન તેં, પૂછ્યાં કરી વિચાર; તે પદની સર્વાંગતા, મોક્ષમાર્ગ નિર્ધાર. ૧૦૬
જાતિ, વેષનો ભેદ નહિ, કહ્યો માર્ગ જો હોય; સાથે તે મુક્તિ લહે, એમાં ભેદ ન કોય. ૧૦૭
કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ; ભવે ખેદ, અંતરદયા, તે કહ્રએ જિજ્ઞાસ. ૧૦૮
તે જિજ્ઞાસું જીવને, થાય સદ્ગુરુ બોઘ; તો પામે સમતિને, વર્તે અંતરશોથ. ૧૦૯
મત દર્શન આગ્રહ તજી, વર્તે સદ્ગુરુલક્ષ; લહે શુદ્ધ સમર્પિત તે, જેમાં ભેદ ન પક્ષ. ૧૧૦ વર્તે નિજસ્વભાવનો, અનુભવ લક્ષ પ્રતીત; વૃત્તિ વહે નિજભાવમાં, પરમાર્થે સમર્પિત. ૧૧૧
વર્ધમાન સમર્પિત થઈ, ટાળે મિથ્યાભાસ; ઉદય થાય ચારિત્રનો, વીતરાગપદ વાસ. ૧૧૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org