________________
નિત્યકમ
ષપદનામકથન આત્મા છે', “તે નિત્ય છે', “છે કર્તા નિજકર્મ,
છે ભોક્તા વળી “મોક્ષ છે “મોક્ષ ઉપાય સુઘર્મ: ૪૩ ષસ્થાનક સંક્ષેપમાં, પદર્શન પણ તેહ, સમજાવા પરમાર્થને, કહ્યાં જ્ઞાનએ એહ. જ
(૧) શંકા – શિષ્ય ઉવાચ નથી દ્રષ્ટિમાં આવતો, નથી જણાતું રૂ૫; બીજો પણ અનુભવ નહીં, તેથ ન જીવસ્વરૂપ. ૪૫ અથવા દેહ જ આતમાં, અથવા ઇંદ્રિય પ્રાણ; મિથ્યા જુદો માનવો, નહીં જુદું એંઘાણ. ૪૬ વળી જો આત્મા હોય તો, જણાય તે નહિ કેમ? જણાય જો તે હોય તો, ઘટ પટ આદિ જેમ. ૪૭ માટે છે નહિ આતમા, મિથ્યા મોક્ષ ઉપાય; એ અંતર શંકા તણો, સમજાવો સદુપાય. ૪૮
(૧) સમાઘાન -- સદ્ગુરુ ઉવાચ ભાસ્યો દેહાધ્યાસથી, આત્મા દેહ સમાન; પણ તે બન્ને ભિન્ન છે, પ્રગટ લક્ષણે ભાન. ૪૯ ભાસ્યો દેહાધ્યાસથી, આત્મા દેહ સમાન; પણ તે બન્ને ભિન્ન છે, જેમ અસિ ને મ્યાન. ૫૦ જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો, જે જાણે છે રૂપ; અબાધ્ય અનુભવ જે રહે, તે છે જીવસ્વરૂપ. પ૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org