________________
નિત્યક્રમ ૧૮. શ્રી સદ્ગુરુ ઉપકાર-મહિમા પ્રથમ નમું ગુરુરાજને, જેણે આપ્યું જ્ઞાન; જ્ઞાને વીરને ઓળખ્યા, ટળ્યું દેહ-અભિમાન. ૧ તે કારણ ગુરુરાજને, પ્રણમું વારંવાર; કૃપા કરી મુજ ઉપરે, રાખો ચરણ મોઝાર. ૨ પંચમ કાળે તું મળ્યો, આત્મરત્ન-દાતાર; કારજ સાર્યા માહરા, ભવ્ય જીવ હિતકાર. ૩ અહો ! ઉપકાર તુમારડો, સંભારું દિનરાત; આવે નયણે નીર બહુ, સાંભળતાં અવદાત. ૪ અનંતકાળ હું આથડ્યો, ન મળ્યા ગુરુ શુદ્ધ સંત; દુષમ કાળે તું મળ્યો, રાજ નામ ભગવંત. ૫ રાજ રાજ સૌ કો કહે, વિરલા જાણે ભેદ, જે જન જાણે ભેદ છે, તે કરશે ભવ છેદ. ૬ અપૂર્વ વાણી તાહરી, અમૃત સરખી સાર; વળી તુજ મુદ્રા અપૂર્વ છે, ગુણગણ રત્ન ભંડાર. ૭ તુજ મુદ્રા તુજ વાણીને, આદરે સમ્યફવંત; નહિ બીજાનો આશરો, એ ગુહ્ય જાણે સંત. ૮ બાહ્ય ચરણ સુસંતનાં, ટાળે જનનાં પાપ, અંતરચારિત્ર ગુરુરાજનું, ભાંગે ભવ સંતાપ. ૯
૧૯. શ્રી ગુરુસ્તુતિ સદ્ગુરુ પદમેં સમાત હૈ, અહંતાદિ પદ સર્વ,
તાતેં સદ્ગુરુ ચરણ, ઉપાસો તર્જી ગર્વ. સદ્ગુરુચરણે અશરણશરણં, ભ્રમ-આત પહર રવિ-શશિકિરણ જયવંત યુગલપદ જયકરણ, મમ સદ્ગુરુચરણ સદા શરણું. ૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org