________________
નિત્યક્રમ
૨૮૫
મિ દુક્કડં, તે દિવસ મારો ઘન્ય હશે કે જે દિવસે હું નવવાડ સહિત બ્રહ્મચર્ય-શીલરત્ન આરાઘીશ, સર્વથા પ્રકારે કામવિકારોથી નિવર્તીશ. તે દિવસ મારો પરમ કલ્યાણમય થશે.
પાંચમું પરિગ્રહ પાપસ્થાનક ઃ---
સચિત પરિગ્રહ તે દાસ, દાસી, દ્વિપદ, ચૌપદ આદિ, મણિ, પથ્થર આદિ અનેક પ્રકારે છે અને અચિત પરિગ્રહ સોનું, રૂપું, વસ્ત્ર, આભરણ આદિ અનેક વસ્તુ છે, તેની મમતા, મૂર્છા, પોતાપણું કર્યું; ક્ષેત્ર ઘર આદિ નવ પ્રકારના બાહ્ય પરિગ્રહ અને ચૌદ પ્રકારના અત્યંતર પરિગ્રહને ઘાર્યો, ઘરાવ્યો, ઘરતા પ્રત્યે અનુમોદ્યો તથા રાત્રિભોજન, અભક્ષ્ય આહારાદિ સંબંધી પાપ દોષ સેવ્યા તે મને ઘિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં. તે દિવસ મારો ધન્ય હશે કે જે દિવસે હું સર્વથા પ્રકારે પરિગ્રહનો ત્યાગ કરી સંસારના પ્રંપચોથી નિવર્તીશ. તે દિવસ મારો પરમ કલ્યાણમય થશે.
છઠ્ઠું ક્રોથ પાપસ્થાન :---
ક્રોઘ કરીને પોતાના આત્માને અને પરના આત્માને તખ઼ાયમાન કર્યા, દુઃખિત કર્યા, કષાયી કર્યા, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં.
સાતમું માન પાપસ્થાનક :---
માન એટલે અહંભાવ સહિત ત્રણ ગારવ અને આઠ મદ આદિ કર્યા, તે મને ઘિક્કાર, ઘિક્કા૨, વારંવાર મિચ્છા મિ દુક્કડં.
આઠમું માયા પાપસ્થાનક ઃ---
સંસાર સંબંઘી તથા ઘર્મ સંબંધી અનેક કર્તવ્યોમાં કપટ કર્યું, તે મને ઘિક્કાર, ઘિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org