________________
૨૬૫
નિત્યક્રમ છૂટક સ્તવનો
(૧૪) સાહિબ સાંભળો રે, સંભવ અરજ હમારી, ભવોભવ હું ભમ્યો રે, ન લહી સેવા તુમારી; નરય નિગોદમાં રે, તિહાં હું બહુ ભવ ભમિયો, તુમ વિના દુઃખ સહ્યાં રે, અહોનિશ ક્રોધે ઘમઘમિયો. સા૦૧ ઇંદ્રિય વશ પડ્યો રે, પાલ્યાં વ્રત નવિ સુંસે, ત્રસ પણ નવિ ગણ્યા રે, થાવર હણિયા હંશે; વ્રત ચિત્ત નવિ ઘર્યા રે, બીજું સાચું ન બોલ્યું, પાપની ગોઠડી રે, તિહાં મેં હઇડલું જઈ ખોલ્યું. સા૦૨ ચોરી મેં કરી રે, ચઉવિહ અદત્ત ન ટાળ્યું, શ્રી જિનઆણશું રે, મેં નવિ સંજમ પાલ્યું; મધુકર તણી પરે રે, શુદ્ધ ન આહાર ગવખ્યો, રસન લાલચે રે, નીરસ પિંડ ઉવેખ્યો. સા૦૩ નરભવ દોહિલો રે, પામી મોહ વશ પડિયો, પરસ્ત્રી દેખીને રે, મુજ મન તિહાં જઈ અડિયો; કામ ન કો સર્યા રે, પાપે પિંડ મેં ભરિયો, શુદ્ધ બુદ્ધ નવિ રહી રે, તેણે નવિ આતમ તરિયો. સા૦૪ લક્ષ્મીની લાલચે રે, મેં બહુ દીનતા દાખી, તોપણ નવિ મળી રે, મળી તો નવિ રહી રાખી; જે જન અભિલખે રે, તે તો તેહથી નાસે, તૃણ સમ જે ગણે રે, તેહની નિત્ય રહે પાસે. સા૦૫ ઘન ઘન તે નરા રે, એહનો મોહ વિછોડી, વિષય નિવારીને રે, જેહને ઘર્મમાં જોડી;
Jain Education' ternational
For Personal & Private Use Only
www.jainelibrary.org