________________
સાયંકાળનો તથા રાત્રિનો
(૬) શંકા–શિષ્ય ઉવાચ હોય કદાપિ એક્ષપદ, નહિ અવિરોધ ઉપાય કર્મો કાળ અનંતનાં, શાથી છેદ્યાં જાય ? ૯૨ અથવા મત દર્શન ઘણાં, કહે ઉપાય અનેક; તેમાં મત સાચે કે, બને ન એહ વિવેક. ૯૩ કઈ જાતિમાં મોક્ષ છે, કયા વેષમાં મોક્ષ એને નિશ્ચય ન બને, ઘણું ભેદ એ દૈષ. ૯૪ તેથી એમ જણાય છે, મળે ન મેક્ષ ઉપાય; જીવાદિ જાણ્યા તણે, શો ઉપકાર જ થાય? લ્પ પાંચે ઉત્તરથી થયું, સમાધાન સવાંગ; સમજું મેક્ષ ઉપાય તે, ઉદય ઉદય સભાગ્ય. ૯૬
(૬) સમાધાન–સદૂગુરુ ઉવાચ પાંચે ઉત્તરની થઈ, આત્મા વિષે પ્રતીત; થાશે મેક્ષેપાયની, સહજ પ્રતીત એ રીત. ૯૭ કર્મભાવ અજ્ઞાન છે, મેક્ષભાવ નિજવાસ; અંધકાર અજ્ઞાન સમ, નાશે જ્ઞાનપ્રકાશ. ૯૮ જે જે કારણ બંધનાં, તેહ બંધને પંથ; તે કારણ છેદક દશા, મેલપંથ ભવઅંત. ૯૯ રાગ, દ્વેષ, અજ્ઞાન એ, મુખ્ય કર્મની ગ્રંથ; થાય નિવૃત્તિ જેહથી, તે જ મોક્ષને પંથ. 100 આત્મા સત્ ચૈતન્યમય, સર્વાભાસ રહિત, જેથી કેવળ પામિયે, મેક્ષપંથ તે રીત. ૧૦૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org