________________
નિત્યક્રમ
૧૯
જે સાધનના બળે કર્મબંધ શિથિલ થાય છે, ઉપશમ પામે છે, ક્ષીણ થાય છે. માટે તે જ્ઞાન, દર્શન, સંયમા િમેક્ષપદના ઉપાય છે.
શ્રી જ્ઞાનીપુરુષોએ સમ્યક્દર્શનના મુખ્ય નિવાસભૂત કહ્યાં એવાં આ છ પદ અત્રે સંક્ષેપમાં જણાવ્યાં છે. સમીપમુક્તિગામી જીવને સહજ વિચારમાં તે સપ્રમાણ થવા યેાગ્ય છે, પરમ નિશ્ચયરૂપ જણાવા યાગ્ય છે, તેના સર્વ વિભાગે વિસ્તાર થઈ તેના આત્મામાં વિવેક થવા યાગ્ય છે. આ છ પદ અત્યંત સંદેહરહિત છે, એમ પરમપુરુષે નિરૂપણ કર્યું છે. એ છ પદના વિવેક જીવને સ્વસ્વરૂપ સમજવાને અર્થે કહ્યો છે. અનાદિ સ્વદશાને લીધે ઉત્પન્ન થયેલેા એવા જીવના અહંભાવ, મમત્વભાવ તે નિવૃત્ત થવાને અર્થે આ છ પદ્મની જ્ઞાનીપુરુષાએ દેશના પ્રકાશી છે. તે સ્વપ્રદશાથી રહિત માત્ર પેાતાનું સ્વરૂપ છે, એમ જો જીવ પરિણામ કરું, તે સહજ માત્રમાં તે જાગૃત થઈ સમ્યક્દર્શનને પ્રાપ્ત થાય; સમ્યક્દર્શનને પ્રાપ્ત થઈ સ્વસ્વભાવરૂપ માક્ષને પામે. કાર્ય વિનાશી, અશુદ્ધ અને અન્ય એવા ભાવને વિષે તેને હર્ષે, શેાક, સંચાગ, ઉત્પન્ન ન થાય. તે વિચારે સ્વસ્વરૂપને વિષે જ શુદ્ધપણું, સંપૂર્ણપણું, અવિનાશીપણું, અત્યંત આનંદપણું, અંતરરહિત તેના અનુભવમાં આવે છે. સર્વ વિભાવપર્યાયમાં માત્ર પેાતાને અધ્યાસથી ઐક્યતા થઈ છે, તેથી કેવળ પેાતાનું ભિન્નપણું જ છે, એમ સ્પષ્ટ—પ્રત્યક્ષ—અત્યંત પ્રત્યક્ષ—અપરાક્ષ તેને અનુભવ થાય છે. વનાશી અથવા અન્ય પદાર્થના સંયાગને વિષે તેને ઇષ્ટ-અનિષ્ટપણું પ્રાપ્ત થતું નથી. જન્મ, જરા, મરણુ, રાગાદિ ખાધારહિત સંપૂર્ણ માહાત્મ્યનું ઠેકાણું એવું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org