SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ નિત્યક્રમ ૩ પાંચમું પદ : મોક્ષપદ છે.’ જે અનુપચરિત વ્યવહારથી જીવને કર્મનું કર્તાપણું નિરૂપણ કર્યું, કર્તાપણું હાવાથી ભાક્તાપણું નિરૂપણ કર્યું, તે કર્મનું ટળવાપણું પણ છે; કેમ કે પ્રત્યક્ષ કષાયાદિનું તીવ્રપણું હોય પણ તેના અનભ્યાસથી, તેના અપરિચયથી, તેને ઉપશમ કરવાથી, તેનું મંદપણું દેખાય છે, તે ક્ષીણ થવા યાગ્ય દેખાય છે, ક્ષીણ થઈ શકે છે. તે તે અંધભાવ ક્ષીણ થઈ શકવા યાગ્ય હાવાથી તેથી રહિત એવા જે શુદ્ધ આત્મસ્વભાવ તે રૂપ મેાક્ષપદ છે. છઠ્ઠું. પદ : તે મોક્ષના ઉપાય છે.” જો કદી કર્મબંધ માત્ર થયા કરે એમ જ હાય, તેા તેની નિવૃત્તિ કાર્ય કાળે સંભવે નહીં; પણુ કર્મબંધથી વિપરીત સ્વભાવવાળાં એવાં જ્ઞાન, દર્શન, સમાધિ, વૈરાગ્ય, ભક્યાદિ સાધન પ્રત્યક્ષ છે; જે સાધનના બળે કર્મબંધ શિથિલ થાય છે, ઉપશમ પામે છે, ક્ષીણ થાય છે. માટે તે જ્ઞાન, દર્શન, સંયમાદ્રિ મેાક્ષપદના ઉપાય છે. શ્રી જ્ઞાનીપુરુષોએ સમ્યક્દર્શનના મુખ્ય નિવાસભૃત કહ્યાં એવાં આ છ પદ અત્રે સંક્ષેપમાં જણાવ્યાં છે. સમીપમુક્તિગામી જીવને સહજ વિચારમાં તે સપ્રમાણ થવા યાગ્ય છે, પરમ નિશ્ચયરૂપ જણાવા યાગ્ય છે, તેના સર્વ વિભાગે વિસ્તાર થઈ તેના આત્મામાં વિવેક થવા ચાગ્ય છે. આ છ પદ અત્યંત સંદેહરહિત છે, એમ પરમપુરુષે નિરૂપણ કર્યું છે. એ છ પદ્મના વિવેક જીવને સ્વસ્વરૂપ સમજવાને અર્થે કહ્યો છે. અનાદ્રિ સ્વપ્રદશાને લીધે ઉત્પન્ન થયેલા એવા જીવના અહંભાવ, મમત્વભાવ તે નિવૃત્ત થવાને અર્થે આ છ પદની જ્ઞાનીપુરુષોએ દેશના પ્રકાશી છે. તે સ્વપ્રદશાથી રહિત માત્ર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005406
Book TitleNityakram Pratahkalno
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages54
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy