________________
૨૦
એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા, તો સર્વ આત્મિકજ્ઞાનનાં, સિદ્ધાંતતત્ત્વ અનુભવ્યાં. ૪
તે પ્રાપ્ત કરવા વચન કોનું સત્ય કેવળ માનવું ? નિર્દોષ નરનું કથન માનો ‘તેહ' જેણે અનુભવ્યું; રે ! આત્મ તારો ! આત્મ તારો ! શીઘ્ર એને ઓળખો, સર્વાત્મમાં સમવૃષ્ટિ દ્યો, આ વચનને હૃદયે લખો. ૫
વિ. સં. ૧૯૪૦
(૧૫)
જિનેશ્વરની વાણી
(મનહર છંદ)
અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી, અનંત અનંત નયનિક્ષેપે વ્યાખ્યાની છે; સકળ જગત હિતકારિણી, હારિણી મોહ, તારિણી ભવાબ્ધિ મોક્ષચારિણી પ્રમાણી છે; ઉપમા આપ્યાની જેને તમા રાખવી તે વ્યર્થ, આપવાથી નિજ મતિ મપાઈ મેં માની છે;
Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org