________________
(શાર્દૂલવિક્રીડિત) માયા માન મનોજ મોહ મમતા, મિથ્યાત મોડી મુનિ, ઘોરી ઘર્મ ઘરેલ ધ્યાન ઘરથી, ઘારેલ શૈર્ય ધૂંની; છે સંતોષ સુશીલ સૌમ્ય સમતા, ને શીયળે ચંડના, નીતિ રાય દયા-ક્ષમાઘર મુનિ, કોટી કરું વંદના.
– વર્ષ ૧૭ મું
( ૭) કાળ કોઈને નહીં મૂકે
(હરિગીત) મોતીતણી માળા ગળામાં મૂલ્યવંતી મલકતી, હીરાતણા શુભ હારથી બહુ કંઠકાંતિ ઝળકતી; આભૂષણોથી ઓપતા ભાગ્યા મરણને જોઈને, જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોંઈને. ૧ મણિમય મુગટ માથે ઘરીને કર્ણ કુંડળ નાખતા, કાંચન-કડાં કરમાં ઘરી કશીયે કચાશ ન રાખતા; પળમાં પડ્યા પૃથ્વીપતિ એ ભાન ભૂતળ ખોઈને, જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈને. ૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org