________________
સાથે વાતચીત કરવાની કે મારી સલાહ લેવાની તમને ઇચ્છા થાય ત્યારે મારા આ પત્રે પુન: વાંચી જજે. એથી તમને બહુ લાભ થશે, એટલુંજ હાલ તે કહું છું.
પત્ર બીજે,
RAM તમે તમારા વર્ગમાં પરિશ્રમી વિદ્યાર્થી તરીકે પંકાઓ
છે અને તમારા અધ્યાપક તથા તમારા સહાધ્યાયીઓ
| તમને પરિશ્રમી વિદ્યાર્થી તરીકે માન આપે, તે માટે છેતમારે તમારા નિત્યના અભ્યાસપાઠ બહુ સારી રીતે
તૈયાર કરવા જોઈએ, જે વિદ્યાથીઓ બહુ પરિ. શ્રેમ કરે છે અને સર્વદા રૃર્તિવંત રહે છે તેઓ પાઠશાળામાં ઘણી સારી કીર્તિ પ્રાપ્ત કરી શકે છે. પરિશ્રમી વિદ્યાથી અન્ય આળસુ અને સુસ્ત વિદ્યાથીઓ કરતાં બહુજ અલ્પ સમયમાં બહુજ સારી રીતે આગળ વધી શકે છે, શિક્ષકે પણ એવા પરિશ્રમી વિદ્યાથી પ્રત્યે બહુ સંતુષ્ટ રહે છે એટલું જ નહીં, પણ પરિશ્રમી વિદ્યાથી પ્રત્યે સૈ કેઈ આંતરિક માન અને પ્રીતિ ધરાવતા થાય છે. શ્રમનું બીજું પણ એક બહુ સુંદર પરિણામ આવે છે, અને તે એ છે કે શ્રમ કરનાર વિદ્યાથીનું ચિત્ત હમેશાં પ્રસન્ન તથા ઉત્સાહમય રહે છે. પરિશ્રમી વિદ્યાથીને જ્યારે તેના અધ્યાપક તરફથી સાબાશી મળે છે ત્યારે તેને જે અપૂર્વ આનંદ થાય છે તે આનંદની તુલના બીજી કશી વસ્તુના આનંદની સાથે થઈ શકતી નથી, શ્રમ કરવાથી કષ્ટ થાય છે, એવી કલ્પનાને તમારા મગજમાં અજાણતાં પણ સ્થાન આપશો નહીં. શ્રમના પરિણામે જે સંતોષ અને આનંદ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org