SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ કારે એ સંપત્તિ પુનઃ પ્રાપ્ત થઈ શકશે નહીં, એ વાત ખાસ કરીને યાદ રાખજે. આળસમાં અને સુસ્તાઈમાં સમય એટલે બધો જલ્દીથી પસાર થઈ જાય છે કે તેની આપણને ખબર પણ રહેતી નથી, તેથી સમયને બરાબર માન આપે. એક સેકન્ડ જેટલો સમય પણ નિરથક ન જાય તેની સાવચેતી રાખશો. આજે જે સમય નિષ્ફળ પસાર થઈ જશે તેને માટે તમને આખી જીંદગી સુધી પશ્ચાત્તાપ થયા કરશે. વિદ્યાને માટે તમારા અંતઃકરણમાં એવી ઉગ્ર તૃષા ઉદ્દભવવી જોઈએ કે જાણે તમે વિદ્યારૂપી નદીમાં ડુબી ગયેલા છે છતાં તમારી તૃષા ન છીપતી હોય, એમજ તમને લાગ્યા કરે. પુસ્તકના વાંચન પ્રત્યે તમને એટલી બધી ચિ ઉત્પન્ન થવી જોઈએ કે એક પુસ્તક હાથમાં લીધા પછી તેને પૂર્ણ કર્યા વિના પાછું મૂકવાનું મનજ ન થાય. સૌથી પ્રથમ તમારે તમારા અભ્યાસનાં પુસ્તક પ્રત્યે સંપૂર્ણ લક્ષ આપવું, અને એમ કરતાં જે સમય બાકી રહે તે સમયમાં ઉત્તમ પુસ્તક આદિથી અંત પર્યત વાંચવાનો અને વિચારવાને અભ્યાસ પાડે. છએક મહીના સુધી આ અભ્યાસ ચાલુ રાખશે તે તમને વિદ્યાને આનંદ કેવો અપૂર્વ હોય છે તેની સહજ ખાત્રી થશે. પછી તે તમને પોતાને કોઈની પણ ભલામણ કે સલાહ વિના વિદ્યા પ્રાપ્ત કરવાનું વ્યસન લાગી જશે. અમારું કામ માત્ર તમને માર્ગ બતાવવાનું છે. અમે તમને કાયમ ઉપયેગી થઈ શકીએ નહીં, કારણ કે કાળની કોને ખબર છે? અમે તે આજ છીએ અને કાલ નથી. અમારી હૈયાતીમાં જે તમને બરાબર માર્ગ હાથ લાગી જાય અને ડી ઘણું વિદ્યા પ્રાપ્ત થઈ જાય તે તમારે તમારૂં અહોભાગ્ય માનવું જોઈએ. આજકાલ થોડી વિદ્યા પ્રાપ્ત કરવાથી વ્યવહાર ચાલી શકતું નથી. તમે સાંભળ્યું હશે કે બી. એ. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005383
Book TitlePitano Putra Pratye Updesh
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1973
Total Pages56
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy