SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૮ ) મુખમાંથી જે વચનકુસુમ બહાર નીકળ્યાં છે, તેને એક ઉદ્યાન સમાન લેખીએ તોપણ અયોગ્ય નથી, કારણ કે આરામને સંસ્કૃતમાં ઉદ્યાન પણ કહેવામાં આવે છે. ભવ્ય જીવો આ ઉદ્યાનમાં બેસી સર્વજ્ઞવાણીરૂપી કુસુમોની પરિમળ લે અને પોતાના આત્માને તૃપ્ત કરે, એટલા માટે પ્રભુ મુક્ત કંઠે કર્મનું ઉદ્યાન ખીલવતા ગયા છે. આપણે આ ઉદ્યાનમાં વિહરવાને પૂર્વપુણ્યના બળથી ભાગ્યશાળી થયા છીએ, તો ભવોભવનાં દુરિતો દૂર થાય તે માટે આ ભવે સંપૂર્ણ બળથી ત્રિકરણ શુદ્ધ યોગે પ્રયતો આપણે કરવા જોઈએ. આ પ્રસંગે આપણે પ્રભુને પ્રાથશું કે “આપ જે કે ચદરાજ લોકના સ્વામી તો છે જ, પરંતુ અમને તમારા ચરણમાં ભવોભવ સ્થાન આપજે, અને કોઈ કાળે તમારા શાસનથી દૂર ન પડી જઉં એવી સદ્દબુદ્ધિ આપજે.” છેવટની કડીમાં સ્વમનો સમય તથા કાવ્યકર્તાનો પરિચય આપણને થાય છે. તે કડી આ પ્રમાણે છે – મધ્ય રહેનીએ માતાજી દેખે, સુપન ચૌદ વિશાળજી, ગુરૂ પસાયે ડુંગર વિનવે, હાજે મંગળમાળ; સુણે ભવિ પ્રાણીજી રે. (૧૬) GUJ૨ છે અ & થતુ જે વૈદ સ્વમનું અમે ઉપર યથાશક્તિ રહસ્ય બતાવી જે ગયા, તે સ્વપ્રને સમય મધ્ય રાત્રીનો હોય છે, એમ આ બે ઉપરથી સમજવાનું છે. ઉક્ત ચૌદ સ્વમ ગંભીર આશય છે અને વિશાળ અર્થનાં સૂચક–સ્વમ જે મધ્ય રાત્રીએ આવે કે તે સફળ થયા વિના રહેતાં નથી. આટલું કહ્યા પછી પોતાના સદ્દગુરૂનો ઉપકાર માનતાં અને ગુરૂના પ્રતાપનું સ્મરણ કરતાં Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005381
Book TitleChaud Swapnanu Rahasya
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1915
Total Pages28
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy