SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૬) આ સ્વમ અદશ્ય થયા પછી તેરમું સ્વમ આવે છે, તેનું સ્પષ્ટીકરણ કવિ નીચે પ્રમાણે કરે છેમુજ પરે તુજ પૂજાજ થાશે, ગુણ અનંતના વાસીજી, રતનગઢ માંહે તે બિરાજે, એમ કહે રતની રાશજી; સુણે ભવિ પ્રાણીજી રે. (૧૩) રતની રાશિને અથવા બીજા શબ્દોમાં કહીએ તો રતના અલંકારોને જેમ ભાગ્યશાળી મનુષ્યો બહુ આદરથી સત્કારે છે અને પોતાના કંઠમાં સ્થાપે છે તેવી રીતે રતરાશિ કહે છે કે –“મારી માફક તમારા આ ભાવી પુત્રની પણ છે પૂજા તથા આદર-સત્કાર થશે. જો કે મારામાં તો ગણ્યાગાંઠ્યા જ ગુણે છે, તથાપિ મનુષ્યો મને બહુ પ્રેમથી સત્કારે છે, પરંતુ તીર્થકર ભગવાનમાં અર્થાત્ તમારા પુત્રમાં એટલા બધા ગુણો હશે કે તે ગુણોનો કોઈ પાર પામી શકશે નહીં.” તે ઉપરાંત આ રસરાશિ એમ પણ કહે છે કે “તમારો પુત્ર રતગઢમાં વિરાજવા શક્તિમાન થશે.” સર્વજ્ઞ પ્રભુ જ્યારે દેશના આપે છે ત્યારે “ત્રિગડો ગઢ” રચાય છે, એ વાત આપણે સૌ કોઈ જાણીએ છીએ. આ ત્રિગડાની રચના દેવતાઓ પોતે આવીને કરે છે તેમાં સોનાનો, રૂપાનો તથા રસનો ગઢ નિર્માય છે. ત્રણે ગઢો ઉપર બહુમૂલ્ય કાંગરાઓ પણ બાંધવામાં આવે છે. આવા દિવ્ય ત્રિગઢમાં વિરાજ તમારો પુત્ર જગતના જીવોને પ્રતિબોધ કરશે, એમ આ રતની રાશિ સૂચવે છે. ટૂંકમાં કહીએ તો રત્રની રાશિ એ વિગડાનું સ્મરણ કરાવે છે અને તેની સાથે તીર્થકર પ્રભુના અતિશયનું પણ સૂચન કરે છે. એ વિગડાના સ્વરૂપનું Jain Educationa International For Personal and Private Use Only For Pare www.jainelibrary.org
SR No.005381
Book TitleChaud Swapnanu Rahasya
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1915
Total Pages28
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy