SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૪) અગીઆરમાં સ્વમનું રહસ્ય દર્શાવતાં કવિશ્રી કહે છે કે - જ્ઞાનાદિક ગુણરતના ભરીયા, મુજથી એ ગંભીરજી, અગીયારમે સ્વમે માજી દેખે, સભાગ સાયર ખરેજી; ભવિ પ્રાણુંજી રે. (૧૧) ર્થી-ક્ષીર સમુદ્ર તીર્થકરની માતાજીને કહે છે કે “તમારો પુત્ર મારા કરતાં પણ વધારે ગંભીર થશે.” | સમુદ્ર તો ભરતી ઓટ વખતે એવાં તો મોજાંઓ [, જેરથી કીનારા ઉપર અફાળે છે કે પથિકોને ભય ન થયા વિના રહેતો નથી, પરંતુ તીર્થંકર ભગવાન એવી ગંભીર પ્રકૃતિના હોય છે કે દુશ્મનો આવીને પ્રહાર કરે કે અનુયાયીઓ આવીને પૂજા કરે તો પણ તેમના અંતઃકરણમાં રાગ દ્વેષનો સ્પર્શ સુદ્ધાં થતો નથી. સારાંશ કે તેઓ તેમની શાંત તથા ગંભીર પ્રકૃતિ કદાપિ ત્યજતા નથી. એક સ્થળે કહ્યું પણ છે કે પાર્શ્વનાથ ભગવાન પ્રત્યે એક વખતે કમઠે અને ધરણકે પોતપોતાને ઉચિત કર્મો કર્યો, અર્થાત્ એકે ઉપદ્રવ કર્યો અને અન્ય તેમની સેવા કરી તો પણ પ્રભુની વૃત્તિ તો ગંભીર જ રહી, બન્ને પ્રત્યે પ્રભુ એક સરખી જ દષ્ટિ સાચવી રહ્યા. તીર્થકર ભગવાન માત્ર ગંભીર રહેશે એટલું જ નહીં, પણ સમુદ્ર વિશેષમાં કહે છે કે–“મારા ઉદરમાં જેમ અનેક નાનાં-મોટાં રત ભર્યા છે, તેવી રીતે તમારા પુત્રના અંતઃકરણમાં પણ જ્ઞાન-દર્શનચારિત્રનાં અપૂર્વ રત્રો ભરેલાં રહેશે.” પાર્થિવ રત્નો કરતાં જ્ઞાનાદિ રોનું મૂલ્ય અનંત ગણું અંકાય છે, અને તેથી સાગર પોતે જે તેમની પાસે પોતાની લઘુતા સ્વીકારે છે, તે યોગ્ય છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005381
Book TitleChaud Swapnanu Rahasya
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1915
Total Pages28
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy