SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૨ ) નવમા સ્વમમાં પવિત્ર કળશ પ્રત્યક્ષ થાય છે અને પોતાના દર્શનનું ફળ દર્શાવતાં કહે છે કેઃ— શાંતાદિક ગુણરતના દરીઆ, મેં પૂજું તુજ પુત્રજી, નવમે સ્વમે માજી જાણેા, એમ કહે કળશ પવિત્રજી; સુણા ભવિ પ્રાણીજી રે. (૯) ર્થાત્ કળશ કહે છે કે હે પરમ ભાગ્યવતી જનની ! તમારે પેટે એક એવો પુત્ર જન્મશે કે જે સર્વ પ્રકારે મારા જેવો જ સંપૂર્ણ અને ગુણરતધારી થશે, અને હું પણ જેની પૂજા કરવાને સદા તત્પર રહીશ.” અધુરો ઘડો હોય તે જ છલકાય છે, એવી આપણામાં એક સાધારણ કહેવત છે. તે બહુ અર્થસૂચક છે. જેમના આત્મામાં શાંતિનો કિંવા ક્ષમાનો અથવા ધૈર્યનો ગુણ નથી ખીલ્યો હોતો અને લોકોની પાસેથી કેવળ માન કે ભિક્ષા મેળવવા માટે જ દંભ રાખતા હોય છે તેઓ સંપૂર્ણ શાંતિ રાખી શકતા નથી અને ક્વચિત્ ક્રોધથી એવા ધમધમી નીકળે છે કે તેમને માટે આપણને દયા સ્ફુર્યા વિના રહેતી નથી. તીર્થંકર મહારાજ જેવા મહા પુરૂષોનાં હૃદયમાં શાંતિ તેમજ તેના સહચારી ખીજા ગુણો એકરસ થઈને રહ્યા હોય છે, તેથી તેઓ હમેશાં ભરેલા કળશની માફક જ ગંભીર રહે છે. અર્થાત્ અધુરા કળશની માફક છલકાતા નથી. અધુરાશ અથવા અપૂર્ણતા હોય છે ત્યાં જ છલકાવાપણું હોય છે. વસ્તુતઃ અગંભીરતા હોવી એ આત્માની એક પ્રકારની નિર્મળતા છે, અને નિર્મળતા એજ પાપનું પ્રભવસ્થાન છે. સંપૂર્ણ કળશના જેવી ગંભીરતા તથા શાંતિ આપણા હૃદયને પણ સ્પર્શે, એવી પ્રાર્થના આપણે આ સ્વઝના દર્શન વખતે કરીશું તો તે અયોગ્ય કિંવા અસ્થાને નહીં ગણાય. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005381
Book TitleChaud Swapnanu Rahasya
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1915
Total Pages28
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy