SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૦ ). સ્વમ આગળથી સૂચવે છે. ભામંડળને અંગ્રેજી ભાષામાં “હેલો” (halo) કહેવામાં આવે છે, અને એક મનુષ્ય જેમ જેમ વિશુદ્ધિમાં તથા નિર્દોષતામાં આગળ વધતો જાય છે તેમ તેમ તેના મુખની આસપાસ પ્રવર્તતો પ્રકાશ-ભામંડળ વધારે ઉગ્ર-પ્રખર રૂપે પ્રકાશવા લાગે છે. તીર્થકર ભગવાનની સૌમ્ય અને શાંત મુખકાંતિની ચોતરફ સૂર્યનાં કિરણો જેવું પ્રભાસ્યમાન તથા પ્રબળ પ્રતાપાન્વિત ભામંડળ ફેલાયેલું હોય છે, જેથી કરીને તેમનો પ્રતાપ અખંડિત રહે છે, તેમનું શાસન સર્વોપરિ રહે છે અને તેમના વિરોધીઓનું બળ નિષ્ફળ જાય છે. પ્રભો ! આપના ભામંડળ સરખો સમ્યકત્વનો પ્રકાશ ચોતરફ પ્રસાર પામો અને આપનાં તેજસ્વી સહસ્ત્ર કિરણે વડે મિથ્યાત્વરૂપી તિમિરનો નાશ થાઓ, એ જ અમારી પુનઃ પુનઃ પ્રાર્થના છે. NO આઠમા સ્વમની ધ્વજા શું સૂચવે છે, તે સંબંધી કવિ બહુ સરળ રીતે કરે છે કે – ધરમધજાનો ભોગી થાશે, મુજ દરશન તુજ નંદજી, આઠમે સ્વમે વજ એમ વિનવે, ધરતી રાગ ઉમંદાજી; સુણે ભવિ પ્રાણુજી રે. (૮) રક દવા જાને પવનમાં ઉડતી અનેકોએ જોઈ હશે. આવી ધ્વજા તીર્થંકર મહારાજના માતાજીના સ્વપ્રમાં આક વીને ભવિષ્યવાણીરૂપે અત્યંત હર્ષપૂર્વક–પ્રસન્નતા આ પૂર્વક કહે છે કે “મારા દર્શન તમને થયા છે, તે . . એમ સૂચવવા માટે કે તમારો નંદ અર્થાત્ પુત્ર ધર્મધ્વજા ભોગી થશે અને વિશ્વમાં અનેકાંત ધર્મનો વિજય વાવટો ફરકાવશે. તીર્થંકર મહારાજની સાથે ધર્મદેવજા હમેશાં ફર Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005381
Book TitleChaud Swapnanu Rahasya
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1915
Total Pages28
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy